SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૫૦ વિષયવાળો છે. જેમકે જીવોના એકેન્દ્રિય, વિક્લન્દ્રિય અને પંચેન્દ્રિય એમ કુલ પાંચ ભેદો છે. આ વ્યવહારનયનું વાક્ય છે. કારણ કે જીવવ-નામની સત્તાથી સંગૃહીત સર્વે સંસારી જીવો છે. તેના કેટલાક પ્રકારો (ભેદો) જ આ નયે જણાવ્યા. એકેન્દ્રિયથી વિક્લેન્દ્રિય ભિન્ન છે. અને વિશ્લેન્દ્રિય કરતાં પંચેન્દ્રિય ભિન્ન છે. એમ એકેન્દ્રિયત્વ, વિક્લેન્દ્રિયત્વ અને પંચેન્દ્રિયવરૂપ ભેદોને આ વ્યવહાર નય સમજાવે છે. માટે જુદા જુદા બતાવેલા ભેદો પરિમિત વિષયવાળા થવાથી અલ્પ-વિષયવાળો આ નય છે. પરંતુ સંગ્રહનય તો સત્તા નામના અંશના જેટલા જેટલા પ્રકારો છે. તે સર્વે પ્રકારોના સમૂહને સ્વીકારીને સામાન્યપણે પ્રતિપાદન કરે છે. તેથી બહુ-વિષયવાળો સંગ્રહનય છે. જેમકે એ કેન્દ્રિય હોય કે વિક્લેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય પરંતુ આખર તો સર્વ જીવો “જીવમાત્ર” જ છે. આ પ્રમાણે વ્યવહારથી સંગ્રહનય બહુ વિષયવાળો છે. વ્યવહારનય ભેદગ્રાહી હોવાથી કોઈપણ એક ભેદને જણાવે છે. જ્યારે સંગ્રહનય અભેદગ્રાહી હોવાથી સર્વભેદોનું એકીકરણ કરે છે. ચોથો ઋજુસૂત્રનય વસ્તુની વર્તમાન કાળવત અવસ્થાને માત્ર ગ્રહણ કરે છે. જ્યારે ત્રીજો વ્યવહારનય ત્રિકાળવર્તી વસ્તુ સમૂહરૂપ પદાર્થને સ્વીકારે છે. તેથી ઋજુસૂત્રનય કરતાં વ્યવહારનય ઘણા વિષયવાળો છે. જેમકે- કેવલજ્ઞાન પામ્યા પછી ભગવંતો મોક્ષે ન જાય ત્યાં સુધીની વર્તમાનાવસ્થામાં વર્તનારા અરિહંત તીર્થકરોને “તીર્થકર” તરીકે આ ઋજુસૂત્ર માને છે. કારણકે તે કાળે જ તીર્થકર નામકર્મનો ઉદય સંભવે છે. પરંતુ વ્યવહાર નય તો ગર્ભ-પ્રવેશથી જ તીર્થકરના જીવને તીર્થકર માને છે. તેથી જ ચ્યવન, જન્મ આદિ પ્રસંગોને કલ્યાણક કહે છે. જન્મોત્સવ માટે દેવોનું આગમન તથા ચૌદ સ્વપ્ન દર્શનાદિ અભુત ભાવો પણ સંભવે છે. તીર્થકર નામકર્મના ઉદય પૂર્વે અને પછી પણ વ્યવહારનય તીર્થકર કહે છે. આ રીતે વ્યવહાર નય નજીકના ત્રણે કાળવતી પદાર્થને તે તે રૂપ માને છે. માટે ઋજાસૂત્ર નય કરતાં વ્યવહાર નય બહુ-વિષયવાળો છે. વ્યવહારનય ત્રણે કાળ માને છે. પરંતુ નિકટના ત્રણેકાળ માને છે. જ્યારે નૈગમન તો ઘણા લાંબા (ઉપચારનો વિષય હોય હોય તેવા) ત્રણ કાળને સ્વીકારે છે. આટલી વ્યવહાર અને નૈગમમાં પણ વિશેષતા છે. | ૭-૪૮-૭૯ો. ऋजुसूत्राच्छब्दो बहुविषय इत्याशङ्कामपसारयन्तिकालादिभेदेन भिन्नार्थोपदर्शिनः शब्दाजुसूत्रस्तद्विपरीतवेदकत्वान्महार्थः ॥७-५०॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy