SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ-૭ : સૂત્ર-૨૮ यथा सुखविवर्तः सम्प्रत्यस्तीत्यादिः ॥ ७-२९॥ સૂત્રાર્થ- પર્યાયાર્થિકનય ચાર પ્રકારે છે. (૧) ઋજીસૂત્રનય. (ર) શબ્દનય, (૩) સમભિરૂઢનય અને (૪) એવંભૂતનય. નુ એટલે ફક્ત વર્તમાન એક ક્ષણ સ્થાયી એવા પર્યાયમાત્રને પ્રધાનપણે સૂચવનારો જે અભિપ્રાય વિશેષ તે ૠાસૂત્રનય, જેમકે હમણાં સુખપર્યાય વર્તે છે. ઇત્યાદિ ઉદાહરણ જાણવાં. આ પ્રમાણે વર્તમાનપર્યાયને પ્રધાનપણે સૂચવનારો જે અભિપ્રાય વિશેષ તે ૠાસૂત્રનય જાણવો. II ૭-૨૭-૨૮-૨૯॥ ૧૮૨ टीका - ऋजु अतीतानागतकालक्षणकौटिल्यवैकल्यात् प्राञ्जलम् । अयं ह द्रव्यं सदपि गुणीभावान्नार्पयति, पर्यायांस्तु क्षणध्वंसिनः प्रधानतया दर्शयतीति ।।૭-૨૭-૨૮૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ अनेन हि वाक्येन क्षणस्थायिसुखाख्यं पर्यायमात्रं प्राधान्येन प्रदर्श्यते, तदधिकरणभूतं पुनरात्मद्रव्यं गौणतया नार्प्यते । आदिशब्दाद् दुःखपर्यायोऽधुनाऽस्तीत्यादिकं प्रकृतनयनिदर्शनम् अभ्यूहनीयम् ॥७- २९ ॥ વિવેચન– નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એમ દ્રવ્યાર્થિકનયના ત્રણ ભેદો યથાર્થ રીતે સમજાવીને હવે પર્યાયાર્થિક નય સમજાવે છે– પર્યાયાર્થિક નય ચાર પ્રકારે છે. (૧) ઋજુસૂત્ર, (૨) શબ્દ, (૩) સમભિરૂઢ અને (૪) એવંભૂત. ત્યાં પ્રથમ ઋજુસૂત્રનય સમજાવે છે. મુ એટલે પ્રાઙ્ગલ અર્થાત્ સરળ, એટલે વક્રતા વિનાનું. અતીતકાળની વસ્તુ નષ્ટ થઇ ચૂકેલી હોવાથી અને અનાગતકાળની વસ્તુ હજી ઉત્પન્ન થયેલી ન હોવાથી અસત્ છે. મિથ્યા છે. છતાં તેને માનવી તે કૌટિલ્ય એટલે વક્રતા કહેવાય છે. તેનાથી વૈકલ્પ એટલે રહિત અર્થાત્ પ્રાઞ્જલ=સરળ. અતીત-અનાગત કાળના ક્ષણોને માનવા રૂપ કુટિલતા (વક્રતા)ની વિકલતાના (અભાવના) કારણે જે માત્ર વર્તમાનકાળમાં જેમ હોય અને જગતને જેમ વર્તમાનમાં દેખાય છે. તે વસ્તુને તેમ સૂત્રયન્=જણાવનારો જે અભિપ્રાયવિશેષ તે ઋજુસૂત્ર નય જાણવો. જીવ-પુદ્ગલાદિ સર્વે દ્રવ્યો દ્રવ્યપણે સત્ હોવાથી અનાદિ-અનંતકાળ સ્થાયી ધ્રુવ છે. નિત્ય છે. આમ સત્ હોવા છતાં પણ આ નય તે સત્પણાની વિવક્ષાને મુળીમાવાત્ ગૌણ કરવાથી નાપતિ તેની પ્રધાનપણે વિવક્ષા કરતો નથી. પરંતુ ક્ષણે ક્ષણે બદલાનારા પરિવર્તશીલ એવા પર્યાયોને જ પ્રધાન કરે છે. વર્તમાનકાળવર્તી પર્યાયોને પ્રધાન કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy