SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૩૦-૩૧ ૧૮૩ અને ત્રિકાળવત દ્રવ્યને જે ગૌણ કરે તે ઋજાસૂત્રનય કહેવાય છે. જેમકે અત્યારે મારે સુખપર્યાય વર્તે છે. અથવા અત્યારે મારે દુઃખપર્યાય વર્તે છે. ઈત્યાદિ વર્તમાનકાળવતી પર્યાયને પ્રધાન કરનારો જે અભિપ્રાય તે ઋજાસૂત્રનય કહેવાય છે. વિવર્તિ સમૃત” આવા પ્રકારના વાક્ય વડે ક્ષણમાત્ર રહેનારો સુખ નામનો જે પર્યાયવિશેષ છે. તેની જ પ્રધાનપણે જે વિવક્ષા કરાય અને સુખપર્યાયના આધારવાળું ત્રિકાળવાર્તા જે આત્મદ્રવ્ય છે તેને ગૌણ કરાય તે ઋજાસૂરાનય. વર્તમાનકાળનો આ સુખપર્યાય જેમ જણાવ્યો છે તેમ કહિ શબ્દથી વર્તમાનકાળનો દુઃખપર્યાય અત્યારે મારે છે એમ પણ સમજી લેવું. આ પણ પ્રસ્તુત એવા ઋજુસૂત્રનયનાં જ દૃષ્ટાન્તો છે. એમ જાણવું. વર્તમાનકાળમાં જે દ્રવ્યની જેવી અવસ્થા હોય. તેને જ પ્રધાનપણે દેખે. તેની ભૂત-ભાવિકાળની અવસ્થાને જે નય ગૌણ કરે તે આ ઋજુસૂત્રનય કહેવાય છે. તે ૭૨૭-૨૮-૨૯ો. ऋजुसूत्राभासं ब्रुवतेહવે ઋજુસૂત્રનયાભાસ સમજાવે છે– सर्वथा द्रव्यापलापी तदाभासः ॥७-३०॥ उदाहरन्तिઉદાહરણ આપે છે કેयथा तथागतमतम् ॥७-३१॥ સૂત્રાર્થ દ્રવ્યનો સર્વથા અપલાપ કરનારો વક્તાનો જે અભિપ્રાય વિશેષ તે જુસૂત્રનયાભાસ કહેવાય છે. જેમકે બૌદ્ધદર્શનનો મત. I -૩૦-૩૧ टीका-सर्वथा गुणप्रधानभावाभावप्रकारेण तदाभास ऋजुसूत्राभासः तथागतो हि प्रतिक्षणविनश्वरान् पर्यायानेव पारमार्थिकतया समर्थयते, तदाधारभूतं तु प्रत्यभिज्ञादिप्रमाणप्रसिद्धं त्रिकालस्थायि द्रव्यं तिरस्कुरुत इत्येतन्मतं तदाभासતયોહૃતમ્ I૭-૨૦-૨૨ વિવેચન- ભૂત-ભાવી કાળવર્તી એટલે કે ત્રિકાળવાર્તા એવા દ્રવ્યને જે ગૌણ કરે અને માત્ર વર્તમાનકાળસ્થાયી પર્યાયને પ્રધાન કરે તે જેમ ઋજુસૂત્રનય કહેવાય છે. તેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy