SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ : સૂત્ર-૨૭-૨૮ ૧૮૧ એકીકરણનો અપલાપ કર્યા વિના જે વિભાગ તરફની મનોવૃત્તિ તે વ્યવહારનય છે. || ૭-૨૩-૨૪ || પરંતુ જે વિચાર વિશેષ દ્રવ્ય અને પર્યાયના આ વિભાગવિશેષને કલ્પનાકૃત જ માને, ધર્મ-અધર્મ, આકાશ આદિ દ્રવ્યોના વિભાગો કલ્પનાકૃત જ માને. એવી રીતે પર્યાયોના ક્રમભાવી-અક્રમભાવી વિભાગને કલ્પનાકૃત માને. આ બધા વિભાગો અપારમાર્થિક છે. મિથ્યા છે. કલ્પના માત્રથી જ કરાયા છે ઇત્યાદિ જે માને તે આશયવિશેષને વ્યવહારનયાભાસ કહેવાય છે. જેમકે ચાર્વાકદર્શન. કારણ કે ચાર્વાક દર્શનાનુયાયી જીવો પ્રત્યક્ષાદિ સર્વે પ્રમાણોથી સિદ્ધ થયેલો જીવ, તેના પર્યાયો તથા જીવદ્રવ્યોના અને તેના પર્યાયોના જે વિભાગો છે તથા ધર્મ, અધર્મ, આકાશ આદિ સ્વરૂપ દ્રવ્યો, અને તેનો વિભાગ આ સઘળું કલ્પના માત્ર જ છે. એમ કહીને તે ચાર્વાક તે તે વિભાગોનો અપલાપ કરે છે. માટે વ્યવહારનયાભાસ રૂપ છે. જો કે આ ચાર્વાકદર્શન પણ પૃથ્વી, પાણી, તેજ અને વાયુરૂપ ચાર ભૂતચતુષ્ટય માને છે. પરંતુ આ ભૂતચતુષ્ટયનો પ્રવિભાગ પણ સ્થૂલ લોકવ્યવહારને અનુસરવા પૂરતો જ માને છે. તાત્ત્વિક રીતે વિચારીએ તો તુચ્છસ્વરૂપ જ છે માત્ર ઉપર ઉપરથી જ રમણીય છે. એમ તેઓ કહે છે. આ કારણથી આ ચાર્વાકનું દર્શન વ્યવહારનયાભાસ તરીકે જણાવ્યું છે. આ પ્રમાણે જે જે એકાન્તવાદ છે તે સર્વે નયાભાસ છે. ।। ૭-૨૫-૨૬॥ द्रव्यार्थिकं त्रेधाऽभिधाय पर्यायार्थिकं प्रपञ्चयन्ति દ્રવ્યાર્થિકનયના ત્રણ વિભાગો સમજાવીને હવે પર્યાયાર્થિક નય સમજાવે છેपर्यायार्थिकश्चतुर्द्धा ऋजुसूत्रः शब्दः समभिरूढ एवम्भूतश्च ॥७-२७। एषु ऋजुसूत्रं तावद्वितन्वन्ति આ ચારમાં પ્રથમ ઋજીસૂત્રનયને કહે છે ऋजु वर्तमानक्षणस्थायि पर्यायमात्रं प्राधान्यतः सूत्रयन्नभिप्राय ખુસૂત્રઃ ૫૭-૨૮ ॥ उदाहरन्ति દૃષ્ટાન્ત આપે છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy