SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ પરિચ્છેદ-૭ : સૂત્ર-૨૪ થી ૨૬ રત્નાકરાવતારિકા ભાગ-૩ વિભાગ કરાય તે વિચારવિશેષને વ્યવહારનય કહેવાય છે. એમ વ્યવહારનયના સ્વરૂપને જાણનારા પુરુષોનું કહેવું છે. જેમકે દ્રવ્ય હોય કે પર્યાય હોય, પરંતુ બધા સત્ છે. અર્થાત્ સત્ પણે બધા એક છે. આમ સંગ્રહનયનું કહેવું છે. પરંતુ વ્યવહારનયવાળો આશય સંગ્રહનયે જણાવેલા આ અભેદને તોડ્યા વિના જણાવે છે કે જેમ દ્રવ્ય અને પર્યાય ત્ પણે એક છે તેમ જે કોઈ તુ છે તે કાં'તો દ્રવ્યસ્વરૂપ છે અથવા કાં'તો પર્યાયસ્વરૂપ છે. આ પ્રમાણે સત્યણાનું એકત્વ સાચવીને દ્રવ્ય-પર્યાયપણાનો ભેદ મુખ્યતાએ વ્યવહારનય કહેવાય છે. સૂચવે તે આ જ રીતે ૨૪મા મૂલસૂત્રમાં કહેલા અતિ શબ્દથી અપરસંગ્રહનય વડે સંગૃહીત જે અર્થવિશેષ છે. તેમાં પણ વ્યવહારનયનું ઉદાહરણ સમજી લેવું. તે આ પ્રમાણે- જે જે દ્રવ્ય છે તે પણ જીવ, ધર્મ, અધર્મ, આકાશ, કાલ અને પુદ્ગલરૂપે છ પ્રકારનું છે. તથા જે જે પર્યાયો છે તે પણ ક્રમભાવી અને સહભાવી રૂપે બે પ્રકારના છે. આ જ પ્રમાણે જે જે જીવ છે. તે પણ મુક્ત અને સંસારી એમ બે પ્રકારના છે. તથા જે ક્રમભાવી પર્યાયો છે તે પણ ક્રિયારૂપ અને અક્રિયારૂપ એમ બે પ્રકારના છે. જેમકે નિષ્પન્ન ઘટમાં કંબુ-ગ્રીવાકારનું ધારણ કરવાપણું જે છે તે સદા તેમને તેમ જ રહેતું હોવાથી ફરી ફરી કરાતું નથી. માટે કંબુગ્રીવાદિઆકાર-ધારિત્વ” એ અક્રિયારૂપ છે. અને જલાધારાદિ ક્રિયા તેવા તેવા પ્રયોજનના અર્થી જીવો વડે તે તે કાળે કરાય છે. માટે જલાધારત્વાદિ ક્રિયારૂપ પર્યાય છે આ પ્રમાણે ભેદને પ્રધાન કરવો તે વ્યવહારનય. કોઇપણ વસ્તુમાં એકીકરણવાળી જે દૃષ્ટિ તે સંગ્રહનય અને પૃથક્કરણ વાળી જે દૃષ્ટિ તે વ્યવહારનય કહેવાય છે. જેમકે ધર્મ હોય, અધર્મ હોય કે આકાશ હોય પરંતુ આખરે એ સર્વે દ્રવ્યો છે. આમ એકીકરણ તરફ ઢળતો પરિણામ તે સંગ્રહનય છે. અને દ્રવ્યના છ ભેદ છે ૧ ધર્મ, ૨ ધર્મ, આકાશ ઇત્યાદિ, આવા પ્રકારનો ભેદ તરફ ઢળતો પરિણામ તે વ્યવહારનય કહેવાય છે. ત્રસ હોય કે સ્થાવર હોય પરંતુ તે બધા જીવ છે આમ બોલવું તે સંગ્રહનય. અને જીવોના બે ભેદ છે. (૧) ત્રસ અને (૨) સ્થાવર તે વ્યવહારનય છે. એવી જ રીતે એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય પરંતુ બધા જીવપણે સમાન છે એમ જાણવું તે સંગ્રહનય. અને જીવોના પાંચ ભેદ (૧) એકેન્દ્રિય (૨) બેઇન્દ્રિય વગેરે તે વ્યવહારનય. આ રીતે વિભાગનો અપલાપ કર્યા વિના જે એકીકરણની મનોવૃત્તિ તે સંગ્રહનય. અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy