SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ પરિચ્છેદ-૭ સૂત્ર-૬ થી ૧૦ રત્નાકરાવતારિકા ભાગ-૩ થયો =બે ધર્મોમાં, અર્થાત્ પદાર્થના બે પર્યાયોમાંથી એક પર્યાયને ગૌણ કરવામાં આવે અને એક પર્યાયને મુખ્ય કરવામાં આવે છે. ૧. થઈ =બે ધર્મી પદાર્થોમાં, એટલે કે ધર્મી એવા બેમાં એકને ગૌણ કરવામાં આવે. અને એકને મુખ્ય કરવામાં આવે છે. ૨. થર્મળિો : એક પર્યાય અને એક દ્રવ્ય અર્થાત્ એક ધર્મ અને એક ધર્મી એમ બેમાં જ્યાં એકને ગૌણ કરવામાં આવે અને બીજાને મુખ્ય કરવામાં આવે છે. ૩. આ પ્રમાણે ત્રણ જાતનો નૈગમનાય છે. અહીં એક પ્રશ્ન થાય કે ગૌણ કોને કહેવું ? અને મુખ્ય કોને કહેવું ? તો તેનો ઉત્તર એ છે કે માધ્યાતિપથરVi પ્રઘાનં, ઉપસર્ગનું તરિત્ ! ક્રિયાપદની સાથે જે સમાનાધિકરણ હોય તે મુખ્ય, અને ક્રિયાપદની સાથે જે સમાનાધિકરણ ન હોય તે ગૌણ. હવે ક્રમશઃ આ ત્રણેનાં દૃષ્ટાન્તો કહે છે. આ સૂત્રમાં તથા હવે પછી આવનારાં બન્ને સૂત્રોમાં આ પ્રમાણે પ્રધાનભાવે અને ઉપસર્જનભાવે વિવક્ષા કરવી. (૧) “આત્મામાં” જે ચૈતન્ય છે” તે કેવું છે ? તો સત છે” અ રિત ક્રિયાપદ છે. તિમાં થયેલ તિ પ્રત્યય કર્તા કારમાં થયો છે. તેથી તચ પદમાં રહેલું કર્તુત્વ ઉક્તનામ બનવાથી નામાર્થે પ્રથમ વિભક્તિ નપુંસક લિંગમાં થયેલ છે. આ રીતે ચૈતન્ય પદ કર્તા હોવાથી પ્રતિ ક્રિયાપદની સાથે ઉક્ત બનવાથી ક્રિયાપદની સાથે સમાનાધિકરણ થયું છે માટે વ્યંજનપર્યાયાત્મક એવા ચૈતન્યની પ્રધાનપણે વિવક્ષા થયેલી છે. કારણકે આખ્યાતની સાથે સમાનાધિકરણ. છે માટે વિશેષ્ય છે. જ્યારે “સત્ત્વ' નામના તેના વિશેષણીભૂત વ્યંજનપર્યાયની ગૌણભાવે વિવક્ષા કરાયેલી છે. કારણકે તચ=તે સત્ત્વપર્યાયનો ચૈતન્યના વિશેષણ સ્વરૂપે પ્રયોગ કરાયો છે. આત્મામાં જે ચૈતન્યશક્તિ છે. તે ચૈતન્ય શક્તિ કેવી છે ? “તુ" છે. આ પ્રમાણે સત એ વિશેષણ અને ચૈતન્ય એ વિશેષ્ય હોવાથી સત્ ઉપસર્જનીભાવે અને ચૈતન્ય પ્રધાનભાવે અહીં કહેવાયું છે. ચૈતન્ય એ પણ આત્માનો ધર્મ જ છે. દીર્ઘકાળવતી પર્યાયવિશેષ હોવાથી વ્યંજન-પર્યાયરૂપ ધર્મ છે. અને સર્વ એ પણ દીર્ઘકાળવર્તી પર્યાયવિશેષ હોવાથી વ્યંજન-પર્યાય સ્વરૂપ ધર્મ જ છે. આમ ચૈતન્ય અને સત્ત્વ આ બન્ને આત્મધર્મ હોવા છતાં અહીં ચૈતન્ય વિશેષ્યપણે અને સત્ત્વ વિશેષણપણે કહેલ છે. તેથી તે બે ધર્મમાં ગૌણ-મુખ્યતાવાળો નિગમનયનો આ પ્રથમભેદ સમજાવ્યો. ૭-૮ યત્ પર્યાવત્ વસ્તુ, તત્ દ્રવ્ય વર્તતેના પર્યાયવાળી જે વસ્તુ છે તે દ્રવ્ય છેઃ તે દ્રવ્ય કહેવાય છે. અહીં વર્તતે અથવા મતિ વગેરે જે ક્રિયાપદ અધ્યાહારથી ગમ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy