SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ઃ સૂત્ર-૬ થી ૧૦ ૧૬૯ છે. તેની સાથે સમાનાધિકરણપણે ક્યું પદ છે. તેથી તે દ્રવ્ય નામનો ધર્મી અહીં પ્રધાનપણે છે. કારણકે “તે દ્રવ્ય છે” આ વિધેયપણે વાક્ય છે તેથી દ્રવ્યનું વિધાન કરવાનું હોવાથી ક્રિયાપદની સાથે સમાનાધિકરણ હોવાથી દ્રવ્ય એ મુખ્ય છે. હવે તે દ્રવ્ય કેવું છે ? એમ પ્રશ્ન કરવાથી જે ઉત્તર આવે છે કે જે પર્યાયવાળી વસ્તુ છે તે દ્રવ્ય છે આમ વસ્તુ શબ્દ દ્રવ્યનું વિશેષણ થવાથી ગૌણ છે. ક્રિયાપદની સાથે જે સમાનાધિકરણ હોય તે પ્રધાન અને શેષ ગૌણ કહેવાય છે. અહીં દ્રવ્ય નામનો ધમી, ક્રિયાપદ સાથે સમાનાધિકરણ હોવાથી પ્રધાન છે. અને તેથી જ દ્રવ્યાખ્ય એટલે કે દ્રવ્ય નામનો ધર્મી વિશેષ્ય છે. કેવો, કેવી અને કેવું વગેરે પ્રશ્નો પૂછવાથી જે ઉત્તર આવે તે અથવા અનંતરપણે સમાનાધિકરણ ન હોય તે વિશેષણ બને છે અને વિશેષણ હંમેશાં ગૌણ કહેવાય છે. તેથી પથાર્થવ વસ્તુ આ પદ વિશેષણ બનવાથી ગૌણ થાય છે. અહીં પર્યાયવાળી જે વસ્તુ છે તે દ્રવ્ય છે એમ દ્રવ્યની પ્રધાનતા વાળો અર્થ થાય છે. અથવા ઘટ-પટાદિ જે જે વસ્તુઓ છે તે શું છે ? આવા પ્રકારના પ્રશ્નના ઉત્તરમાં કહીએ કે “પર્યાયવેત્ દ્રવ્ય” પર્યાયવાળું જે દ્રવ્ય છે. તે વસ્તુ છે. આવી વિવક્ષા કરવામાં ય વસ્તુ તત્ વીદશે ? “પર્યાયવદ્ દ્રવ્યમ્' જે ઘટ-પટાદિ વસ્તુ દેખાય છે. તે કેવી છે ? પર્યાયવાળા દ્રવ્યસ્વરૂપ છે. અહીં સ્તિ અથવા વર્તતે ક્રિયાપદની સાથે સમાનાધિકરણ પણે વસ્તુ શબ્દ જોડવામાં આવ્યો છે. માટે વસ્તુ આ શબ્દ વિશેષ્ય થવાથી મુખ્ય છે. અને તે વસ્તુ કેવી છે ? આમ પૂછાયેલા પ્રશ્નના ઉત્તરરૂપે “પર્યાયવેત્ દ્રવ્યમ્'' આવો શબ્દ આવે છે. તેથી દ્રવ્ય પદ વિશેષણ બનવાથી ગૌણ છે. આ રીતે વિશેષણ અને વિશેષ્યની વિવક્ષા વક્તાને આધીન છે. આ દષ્ટાન બન્ને ધર્મની વચ્ચે ગૌણ-મુખ્યતા જણાવનારું છે. કારણકે વસ્તુ કહો કે દ્રવ્ય કહો પરંતુ આ બન્ને શબ્દો ધર્મીના વાચક છે. તેથી ધર્મીયમના વિષયવાળો નૈગમનયનો આ બીજો ભેદ થયો. | ૭-૯ વિષયાસક્તો નીવો વર્તત (તિ) : સૌદશઃ ? ક્ષત્રિસુલુવા–" “પાંચ ઇન્દ્રિયોના સુખમાં આસક્ત એવો જે જીવ વર્તે છે. તે કેવો છે ? ક્ષણ માત્ર સુખવાળો છે” અહીં વર્તતિ (અથવા તિ) ક્રિયાપદની સાથે નીવ શબ્દ સમાનાધિકરણ પણે જોડવામાં આવ્યો છે તેથી વિશેષ્ય હોવાથી મુખ્ય છે. તે વિષયાસક્ત જીવ કેવો છે ? એવા પ્રશ્નના ઉત્તરમાં ક્ષણમાત્ર સુખવાળો પદ આવે છે. આ રીતે સામે સુધી એ વિશેષણ બનવાથી ગૌણ છે. Íવ એ ધર્મીપદ મુખ્ય છે. અને સુખ એ ધર્મવાચી પદ ગૌણ છે. આ રીતે ધર્મ-ધર્મના આલંબનવાળો આ નૈગમનયનો ત્રીજો ભેદ જાણવો. ૨ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy