SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ-૭ : સૂત્ર-૬ થી ૧૦ રત્નાકરાવતારિકા ભાગ-૩ નથી. ઊર્ધ્વતા સામાન્યનો દ્રવ્યમાં, તિર્યક્સામાન્યનો વ્યંજનપર્યાયમાં, અને વિશેષોનો વિવક્ષા બળે અર્થપર્યાયમાં સમાવેશ થાય છે. તેથી સામાન્ય અને વિશેષ આ દ્રવ્યપર્યાયથી ભિન્ન નથી. द्रव्यार्थिक भेदानाहुः હવે પ્રથમ દ્રવ્યાર્થિક નયના ભેદ સમજાવે છે– आद्यो नैगमसङ्ग्रहव्यवहारभेदात् त्रेधा ॥ ७-६॥ ટીા—આઘો દ્રવ્યાર્થિન ૧૬૬ ૭-૬ ॥ સૂત્રાર્થ- પહેલો દ્રવ્યાર્થિક નય, ૧. નૈગમ ૨. સંગ્રહ અને ૩. વ્યવહારનયના ભેદથી ત્રણ પ્રકારે છે. અહીં આઘ:=એટલે પહેલો દ્રવ્યાર્થિકનય એવો અર્થ કરવો. ॥ ૭-૬॥ વિવેચન—સંક્ષેપથી નયોના જે બે ભેદો છે. એક દ્રવ્યાર્થિક નય અને બીજો પર્યાયાર્થિક નય. આ બે નયોમાંથી આદ્ય એવો જે દ્રવ્યાર્થિકનય છે. તેના નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એમ કુલ ત્રણ ભેદો છે. તે ત્રણે ભેદોની વ્યાખ્યા (લક્ષણ), તેના પ્રતિભેદો અને ઉદાહરણો ગ્રંથકાર પોતે જ મૂલસૂત્રમાં તથા ટીકાકારશ્રી ટીકામાં કહે જ છે. તેથી અમે અહીં વધારે વિવેચન કરતા નથી. || ૭-૬।। तत्र नैगमं प्ररूपयन्ति ત્યાં પ્રથમ નૈગમનયનું સ્વરૂપ સમજાવે છે કે धर्मयोर्धर्मिणोर्धर्मधर्मिणोश्च प्रधानोपसर्जनभावेन यद्विवक्षणं स नैकगमो नैगमः || ૭-૭ | अथास्योदाहरणाय सूत्रत्रयीमाहुः - આ ત્રણે સ્થાનોનાં ઉદાહરણો આપવા માટે ત્રણ સૂત્રો કહે છેसच्चैतन्यमात्मनीति धर्मयोः || ૭-૮૫ वस्तु पर्यायवद् द्रव्यमिति धर्मिणोः ॥७-९॥ क्षणमेकं सुखी विषयासक्तजीव इति धर्मधर्मिणोः ॥७ - १० ॥ સૂત્રાર્થ- બે ધર્મમાં, બે ધર્મી એવા પદાર્થોમાં, અને ધર્મ-ધર્મીમાં આ પ્રમાણે ત્રણ સ્થાને એકની પ્રધાનપણે અને બીજાની ગૌણપણે જે વિવક્ષા કરવી. તે નૈગમનય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy