SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭: સૂત્ર-૧ ૧૫૯ नायं वस्तु न चावस्तु वस्त्वंशः कथ्यते बुधैः । नासमुद्रः समुद्रो वा समुद्रांशो यथैव हि ॥१॥ तन्मात्रस्य समुद्रत्वे शेषांशस्यासमुद्रता । समुद्रबहुता वा स्यात्, तत्त्वे क्वास्तु समुद्रवित् ॥२॥ यथैव हि समुद्रांशस्य समुद्रत्वे शेषसमुद्रांशानामसमुद्रत्वप्रसङ्गात् समुद्रबहुत्वापत्तेर्वा, तेषामपि प्रत्येकं समुद्रत्वात् । तस्यासमुद्रत्वे वा शेषसमुद्रांशानामप्यसमुद्रत्वात् क्वचिदपि समुद्रव्यवहारायोगात् । समुद्रांशः समुद्रांश एवोच्यते, तथा स्वार्थैकदेशो नयस्य न वस्तु, स्वार्थैकदेशान्तराणामवस्तुत्व-प्रसङ्गात्, वस्तुबहुत्वानुषक्तेर्वा । नाप्यवस्तु, शेषांशानामप्यवस्तुत्वेन क्वचिदपि वस्तुव्यवस्थाऽनुपपत्तेः । किं तर्हि ? वस्त्वंश एवासौ तादृक्प्रतीतेर्बाधकाभावात् , ततो वस्त्वंशे प्रवर्तमानो नयः स्वार्थैकदेशव्यवसायलक्षणो न प्रमाणं, नापि मिथ्याज्ञानमिति ॥७-१॥ જે આ અર્થે દેશ છે. તે વસ્તુ પણ નથી અને અવસ્તુ પણ નથી. પરંતુ તેને પંડિત પુરુષોવડે “વસ્તુનો અંશમાત્ર છે” એમ કહેવાય છે. જેમ સમુદ્રનો એક અંશ (સમુદ્રની એક ખાડી દા.ત. વસઈની ખાડી) અસમુદ્ર પણ નથી અને સમુદ્ર પણ નથી, તેમ અહીં જાણવું. જો અંશમાત્રને (ખાડીમાત્રને) “સમુદ્ર જ છે” એમ માની લઇએ તો તે એક અંશ માત્ર જ સંપૂર્ણ સમુદ્ર બની જવાથી શેષ અંશોવાળા ભાગને અસમુદ્ર જ માનવો પડે, જે બરાબર નથી અને જો આ એક અંશને સમુદ્ર કહીએ તો તેની જેમ શેષ સઘળા અંશો પણ સમુદ્ર જ કહેવા પડે, અને એમ માનીએ તો “ઘણા સમુદ્રો છે” એમ અર્થ સિદ્ધ થાય. તથા તથા સમુદ્રત્વે વા=જો તે સમુદ્રના અંશને “અસમુદ્ર” જ છે એમ માનીએ તો તેની જેમ બીજા પણ સઘળા અંશો મનાશે. એમ આ વિવક્ષિત અંશની જેમ શેષ અંશો પણ સમુદ્ર થતાં “આ સમુદ્ર જ છે” એવું સમુદ્રને જણાવનારું જ્ઞાન કયાં થશે? અર્થાત્ કયાંય પણ સમુદ્ર મનાશે નહીં. ll૧-૨/ આ જ વાત ટીકાના પદોથી સ્પષ્ટ કરે છે કે સમુદ્રના એક અંશને “આ સમુદ્ર છે.” એમ માનવાથી શેષ અંશો કાં તો અસમુદ્રપણાને પામશે. કારણકે એક વિવક્ષિત અંશમાં જ સમુદ્રતા આવી ગઈ. અથવા તો એક અંશની જેમ શેષ અંશો પણ સમુદ્ર તરીકે મનાવાથી સમુદ્રની બહુલતા માનવાની આપત્તિ આવશે. કારણકે વિવક્ષિત એવો આ એક અંશ જેમ સમુદ્ર કહેવાય તેમ બીજા પણ તે સર્વે અંશો સમુદ્રરૂપ જ મનાશે. તેથી સમુદ્રની બહુલતા થઈ જશે. અને જો વિવક્ષિત એવા આ એક અંશને “અસમુદ્ર જ છે” એમ માની લઇએ તો સમુદ્રના શેષ અંશો પણ વિવક્ષિત અંશની જેમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy