SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ પરિચ્છેદ-૭ સૂત્ર-૧ રત્નાકરાવતારિકા ભાગ-૩ તો પ્રમાણ પણ તથાવિધઃસ્વાર્થ વ્યવસાયાત્મક જ છે. તેથી તેનું પણ પ્રમાણપણું નહી સ્વીકારાય, આવો કોઈ વાદી પ્રશ્ન કરે છે. ઉત્તર– તત્વ- તે પ્રશ્ન ઉચિત નથી. નયો તે સ્વનો (નયજ્ઞાનનો) અને પર (એવા ઘટ-પટાદિ અર્થ)ના એ કદશનો નિર્ણય કરાવનાર છે. તેથી સર્વાશે સ્વાર્થવ્યવસાયકતા તેમાં ઘટતી નથી. ભાવાર્થ એમ છે કે પ્રમાણ એ સ્વનો અને અર્થનો સર્વીશે વ્યવસાય કરાવનાર છે અને નય એ સ્વનો અને અર્થના એક દેશનો આંશિકપણે વ્યવસાય કરાવનાર છે. આ પ્રમાણે નય એ અર્થના એકદેશના વ્યવસાયને કરાવનાર હોવાથી સર્વ ધર્મયુક્ત એવા અર્થનું સર્વાશે વ્યવસાયાત્મકપણું તેમાં ન હોવાથી નયો એ પ્રમાણ સ્વરૂપ નથી. માટે નયોનું ભિન્નલક્ષણ કરવું, તે ઉચિત છે. ___ ननु नयविषयतया सम्मतोऽर्थैकदेशोऽपि यदि वस्तु तदा तत्परिच्छेदी नयः प्रमाणमेव, वस्तुपरिच्छेदलक्षणत्वादिति प्रमाणस्य । स न चेद् वस्तु तर्हि तद्विषयो नयो मिथ्याज्ञानमेव स्यात्, तस्यावस्तुविषयत्वलक्षणत्वादिति चेत्, तदवद्यम् , अर्थैकदेशस्य वस्तुत्वावस्तुत्वपरिहारेण वस्त्वंशतया प्रतिज्ञानात् । तथा चावाचि પ્રશ્ન- નયો અર્થના જે એકદેશનો બોધ કરાવે છે. તે નયના વિષય તરીકે માનેલો અર્ધોકદેશ પણ જો “વહુરૂપ” હોય તો તે વસ્તુનો (અર્થનો) પરિચ્છેદ કરાવનારો આ નય પણ પ્રમાણપણાને જ પામશે. કારણકે “વસ્તુનો (પરનો-અર્થનો) બોધ કરાવવો” એ જ પ્રમાણનું લક્ષણ છે. અને તે લક્ષણ નયમાં લાગુ પડ્યું જ. હવે જો નવડે જણાવાતો જે અર્થેકદેશરૂપ વિષય છે તેને અંશ હોવાથી અવસ્તુ કહેશો તો અવસ્તુને જણાવનારો આ નય ઝાંઝવાના જળને જળ તરીકે જણાવનારા જ્ઞાનની જેમ મિથ્યાજ્ઞાન જ છે. એમ સિદ્ધ થશે. કારણ કે “અવસ્તુને જણાવવું” તે મિથ્યાજ્ઞાનનું જ લક્ષણ છે. ભાવાર્થ આ પ્રમાણે છે કે નયો વસ્તુના પરિચ્છેદક થવાથી પ્રમાણ બનવા જોઈએ. પૃથવ્યપદેશ નિરર્થક છે. અને જો વસ્તુનો એક અંશ એ અવસ્તુ રૂપ છે. એમ જો કહેશો તો અવસ્તુરૂપ અંશને જણાવતા નયો મિથ્યાજ્ઞાન ઠરશે. ઉત્તર– તવદર્ભે ઉપરોક્ત પ્રશ્ન યોગ્ય નથી. કારણકે નય વસ્તુના જે એકદેશને જણાવે છે. તે એકદેશમાં વસ્તુત્વ પણ નથી અને અવસ્તુત્વ પણ નથી. એમ વસ્તુત્વ તથા અવાસ્તુત્વને ત્યજીને વસ્તુના અંશપણું જ તેમાં સ્વીકારેલું છે. જેમ “મુખ” એ શરીરરૂપ પણ નથી, તથા અશરીરરૂપ પણ નથી, પરંતુ શરીરના એક અંશરૂપ છે. તેમ વસ્તુનો અંશ એ વસ્તુ રૂપ પણ નથી અને અવસ્તુ રૂપ પણ નથી પરંતુ વસ્તુના અંશરૂપ છે. આ વાત ઉપર શાસ્ત્રોમાં કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy