SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ-૭ સૂત્ર-૧ | સર્વ અંશોથી યુક્ત એવા તથા શ્રુતા પ્રમાણના વિષયભાવને (યભાવને) પામેલા એવા સમસ્ત પદાર્થોના વિવક્ષિત (પ્રયોજનભૂત) એવા કોઈપણ એક નિયત અંશને સમજાવવામાં તત્પર, અને બીજા અંશ તરફ ઉદાસીનતામાં પરાયણ એવા શ્રુતજ્ઞાનના સંબંધવાળા કુલ સાત ગયો છે. તે જ ગયો જ્યારે એકાન્તવાદના કલંકરૂપી કાદવથી લૂષિત થાય છે ત્યારે તે જ નયો દુર્નય બને છે. સારાંશ કે અનંત અંશોથી યુક્ત એવી વસ્તુમાંથી જ્યાં જે અંશ (ધર્મ) ઉપકારક હોય ત્યાં તે અંશને પ્રધાનપણે ગ્રહણ કરે અને શેષ અંશને ગૌણપણે ગ્રહણ કરે તે નય (સુનય) કહેવાય છે. અને તે એકજ અંશને ગ્રહણ કરે અને શેષ અંશનો તિરસ્કાર કરે (અપલાપ) કરે તો તે દુર્નય કહેવાય છે. ननु नयस्य प्रमाणाद् भेदेन लक्षणप्रणयनमयुक्तम् । स्वार्थव्यवसायात्मकत्वेन तस्य प्रमाणस्वरूपत्वात् । तथाहि-नयः प्रमाणमेव, स्वार्थव्यवसायात्मकत्वादिष्टप्रमाणवत् , स्वार्थव्यवसायकस्याप्यस्य प्रमाणत्वानभ्युपगमे प्रमाणस्यापि तथाविधस्य प्रमाणत्वं न स्यादिति कश्चित् । तदसत्, नयस्य स्वार्थैकदेशनिर्णीतिलक्षणत्वेन स्वार्थव्यवसायकत्वासिद्धेः ॥ . પ્રશ્ન- વારંવ્યવસાયિજ્ઞાનું પ્રમાણમ્ પ્રથમ પરિચ્છેદના બીજા સૂત્રમાં કરેલા આવા પ્રમાણના લક્ષણથી આ સાતમા પરિચ્છેદના પ્રથમસૂત્રમાં કરાયેલું નયનું લક્ષણ ભિન્ન લક્ષણ તરીકે કરવાની જરૂર નથી. અર્થાત્ નયનું પ્રમાણથી ભિન્નપણે લક્ષણ રચવું તે અયુક્ત છે. કારણકે જેમ પ્રમાણજ્ઞાન સ્વનો (પ્રમાણાત્મક જ્ઞાનનો) અને પરનો (ઘટ-પટાદિ પદાર્થનો) વ્યવસાય (નિર્ણયાત્મક બોધ) કરાવનાર હોવાથી પ્રમાણ કહેવાય છે. તેવી જ રીતે નયજ્ઞાન પણ સ્વાર્થવ્યવસાયાત્મવેકસ્વનો (નયાત્મકજ્ઞાનનો) અને પરનો (ઘટ-પટાદિ પદાર્થનો) નિર્ણય કરાવનાર હોવાથી તે નય પણ પ્રમાણ સ્વરૂપ જ છે. આ કારણે પ્રમાણથી ભિન્ન એવું નયનું લક્ષણ કરવું તે અયુક્ત છે આ જ વાત અનુમાન પ્રયોગ કરવા દ્વારા પૂર્વપક્ષકાર સિદ્ધ કરે છે કે નથ: (પક્ષ), પ્રમાામેવ (સાધ્ય), વાર્થવ્યવસાયાત્મવાન્ પુષ્ટપ્રવત્ | નય એ પ્રમાણ જ છે. સ્વાર્થ વ્યવસાયાત્મક હોવાથી. પ્રત્યક્ષ અને પરોક્ષ એવા માનેલા બન્ને ઈષ્ટ પ્રમાણોની જેમ, આ અનુમાન પ્રયોગથી નયો પ્રમાણાત્મક છે. એમ સિદ્ધ કર્યું. અર્થાત્ નો પણ પ્રમાણ સ્વરૂપ જ છે. માટે ભિન્ન લક્ષણ કરવાની જરૂર નથી. નયો “સ્વાર્થવ્યવસાયાત્મક” હોવા છતાં પણ જો તેને પ્રમાણ પણે નહી સ્વીકારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy