SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૪ ૫ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૭૭ થી ૭૯ નથી. માટે વીતરાગ છે. એટલે સાધ્યાભાવ ત્યાં છે. તથા વક્નત્વ નામના સાધનનો પણ અભાવ છે. કારણકે જીવ હોય તો જ વક્તા હોઇ શકે, આ રીતે પત્થરના ટુકડાના ઉદાહરણમાં જો કે સાધ્યાભાવ અને સાધનાભાવ બન્ને વર્તે છે. એટલે સાધ્ય પણ વ્યાવૃત્ત છે. અને સાધન પણ વ્યાવૃત્ત છે. પરંતુ સંસારમાં સર્વત્ર વ્યાપકપણે વ્યતિરેકવ્યાપ્તિની સિદ્ધિ નથી. કારણકે જે જે વીતરાગાભાવાભાવ એટલે (વીતરાગ) હોય તે સર્વે વસ્તૃત્વાભાવવાળા જ હોય, એવો નિયમ નથી. વીતરાગતા હોતે છતે શરીર અને મુખાદિ હોવાથી વક્તા હોઈ પણ શકે છે. એટલે વ્યાપકપણે વ્યતિરેકવ્યાપ્તિ ન હોવાથી આ “અવ્યતિરેક” નામના સાતમા વૈધર્મનું ઉદાહરણ જાણવું. / ૬-૭૮ શબ્દ નિત્ય તત્વી, વ્યતિરેદષ્ટાન્ન માવત્' આ અનુમાનમાં જે જે અનિત્ય ન હોય તે તે કૃતક પણ ન જ હોય, જેમકે આકાશ. આ રીતે વ્યતિરેકવ્યાપ્તિ થાય છે. બરાબર ઘટે પણ છે. અને અનુમાન સાચું પણ છે. પરંતુ વિદ્યમાન એવી પણ આ વ્યતિરેક વ્યાપ્તિ વાદીવડે પોતાના ઉચ્ચારણ કરાયેલા શબ્દાત્મક વચનવડે સભામાં બતાવાઈ ન હોય તો “અવ્યતિરેક” નામના આ વૈધર્મ દૃષ્ટાન્નાભાસથી તે હારી જાય છે. એટલે આ ઉદાહરણ “અવ્યતિરેક” નામના આઠમા વૈધર્મેના દૃષ્ટાન્તાભાસ રૂપ છે. | ૬-૭૮ શઃ નિત્ય તત્વ, પવિત્” આ અન્વયેદાન્ત અને સાશિવ આ વ્યક્તિરેકદૃષ્ટાન્ત આ પ્રમાણે અનુમાન સાચું છે અને બરાબર છે. છતાં વ્યતિરેકવ્યાપ્તિ જે સાધ્યાભાવથી શરૂ કરવી જોઇએ. તેને બદલે ભૂલથી સાધના ભાવથી જો બોલાઈ જાય તો આ દૃષ્ટાન્નાભાસ થાય છે. જેમકે જ્યાં જ્યાં કૃતકાભાવ હોય ત્યાં ત્યાં અનિત્યાભાવ હોય, જેમ કે આકાશ. આવું જો ભૂલથી બોલવામાં આવે તો તે ઉચિત નથી. કારણકે વ્યતિરેક વ્યાપ્તિમાં સાધ્યાભાવ જે હોય છે તે સાધનાભાવથી વ્યાપ્ત હોય છે. એમ બતાવવાનું હોય છે. તેને બદલે અહીં તેનાથી ઉલટું બતાવ્યું છે. તેથી આ “વિપરીત વ્યતિરેક” નામના નવમા વૈધર્મનું ઉદાહરણ જાણવું. . ૬-૭૯ अथोपनयननिगमनाभासौ प्रभाषन्तेउक्तलक्षणोल्लङ्घनेनोपनयनिगमनयोर्वचने तदाभासौ ॥६-८०॥ આ પ્રમાણે પક્ષાભાસ, હેત્વાભાસ, દૃષ્ટાતાભાસ સમજાવીને હવે ઉપનયનાભાસ અને નિગમનાભાસ સમજાવે છે સૂત્રાર્થ- ઉપરોક્ત લક્ષણોનું ઉલ્લંઘન કરીને ઉપનય અને નિગમનનું જે જે વચન બોલાય તે તદાભાસ (ઉપનયાભાસ અને નિગમનાભાસ) કહેવાય છે. I ૬-૮ના ૧૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy