SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૭૪ થી ૩૬ ૧૪૩ - टीका- यद्यपि तद्दर्शनानुरागिणां शौद्धोदनेरादेयवचनत्वं प्रसिद्धं, तथापि रागादिमत्त्वाभावस्तन्निश्चायकप्रमाणवैकल्यतः सन्दिग्ध एव ॥६-५॥ વિવેચન- “વત્ વિવશત: પુરુષ: મનાયવરની, રીતિમત્ત્વત્અનુમાનમાં વ્યતિરેક વ્યાપ્તિ આ પ્રમાણે થાય છે કે “જે જે અનાદેય વચનવાળા નથી એટલે કે આદેય વચનવાળા છે. તે તે પુરુષ રાગાદિવાળા પણ નથી. અર્થાત વિતરાગ છે. જેમકે શૌદ્ધોદનિ (બૌદ્ધ). આ બૌદ્ધના ઉદાહરણમાં અનાદેય વચનતાનો અભાવ (એટલે કે આદેયવચનતા) હજુ હોઈ શકે છે. પરંતુ રાગાદિમત્ત્વનો અભાવ એટલે કે વીતરાગતા ઇન્દ્રિયગોચર જ્ઞાનથી જાણી શકાતી નથી. તેથી રાગાદિમત્ત્વની નિવૃત્તિ (રાગાદિમત્ત્વનો અભાવ) શંકાશીલ છે. તેથી આ સંદિગ્ધસાધન-વ્યતિરેક નામના પાંચમા વૈધર્યનું ઉદાહરણ થાય છે. ટીકાકારશ્રી પણ જણાવે છે કે બૌદ્ધનું ક્ષણિકેકાત્તવચન પ્રમાણ બાધિત હોવાથી આદેય નથી. તો પણ તેમના દર્શનના અનુરાગી આત્માઓમાં બૌદ્ધનું આદેયવચનપણું પ્રસિદ્ધ હોઈ શકે છે. પરંતુ રાગાદિમત્તાભાવ તો તેને જણાવનારા પ્રમાણોની વિકલતાના કારણે સંદેહાત્મક જ રહે છે. પ્રસિદ્ધ નથી. માટે આ સંદિગ્ધસાધન વ્યતિરેકનું ઉદાહરણ યથાર્થ જ છે. તે ૬-૭પો टीका-तपनबन्धुर्बुद्धो वैधर्म्यदृष्टान्ततया यः समुपन्यस्त: स न ज्ञायते किं रागादिमानुत वीतरागः, तथा करुणास्पदेषु परमकृपया निजपिशितशकलानि समर्पितवान्नवा, तन्निश्चायकप्रमाणापरिस्फुरणात् ॥६-७६ ॥ વિવેચન– પિન્નઃ ર વીતર, UTIષ્ય પરમપથી નર્વનિનfપશિતશત્નત્થાત્ તપનવન્યવત્ આવા પ્રકારનું આ અનુમાન છે. અહીં તપનબધુને (બૌદ્ધને) વ્યતિરેક વ્યાપ્તિના (વૈધર્યના) ઉદાહરણ તરીકે જે કહેવામાં આવ્યા છે. તે ઇન્દ્રિયજન્ય જ્ઞાનનો વિષય ન હોવાથી જણાતું નથી કે આ બૌદ્ધ રાગાદિવાળા છે કે વીતરાગ છે? તેથી વીતરાગતાના અભાવરૂપ જે સાધ્ય છે. તેના અભાવની એટલે કે વિતરાગતાની શંકા જ રહે છે. તથા કરુણાસ્પદ જીવો ઉપર પરમ કરુણા કરીને પોતાના માંસના ટુકડાઓ સમર્પિત કર્યા છે કે નથી કર્યા ? તે પણ તેને જણાવનારાં પ્રમાણોના અભાવના કારણે જાણી શકાતું નથી. તેથી “અનર્પિત નિજ-માંસ-પિશિત”ના અભાવની પણ શંકા છે. આ રીતે સાધ્યાભાવ અને સાધનાભાવની શંકામાત્ર જ હોવાથી નિર્ણય ન હોવાથી આ સંદિગ્ધોભયવ્યતિરેક નામના છઠ્ઠા વૈધર્યનું ઉદાહરણ થયું. || ૬-૭૬/l. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy