SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ પરિચ્છેદ ૬-૭૪ થી ૩૬ રત્નાકરાવતારિકા ભાગ-૩ કપિલાષિ વીતરાગ નથી. કારણકે કરુણાને યોગ્ય એવા જીવોને વિષે (અતિશય દુઃખીને વિષે) પણ પરમ કરુણાથી અંજાઇને પોતાના શરીરના માંસના ટુકડા આપ્યા નથી માટે. જે જે વીતરાગ હોય છે. તે તે કરુણાપાત્ર જીવોને વિષે પરમ કૃપાવાળા થઇને પોતાના માંસના ટુકડાનું સમર્પણ કરનાર હોય છે. જેમકે તપનબંધુ (બૌદ્ધ). આ સંદિગ્ધોભચવ્યતિરેકનું ઉદાહરણ છે. કારણકે તપનબંધુમાં વીતરાગતાના અભાવની અને કરુણાપાત્ર જીવોને વિષે પણ પરમ કણાવાળા થઇને પોતાના માંસના ટુકડાઓના સમણિપણાના અભાવની વ્યાવૃત્તિ સંદેહવાળી છે. II૬-૦૬ll टीका-अयं च परमार्थतोऽसिद्धसाध्यव्यतिरेक एव, क्षणिकैकान्तस्य प्रमाणबाधितत्वेन तदभिधातुरसर्वज्ञतानाप्तत्वप्राप्तेः केवलं तत्प्रतिक्षेपकप्रमाणमाहात्म्यपरामर्शनशून्यानां प्रमातृणां सन्दिग्धसाध्यव्यतिरेकत्वेनाभास इति तथैव कथितः ॥६-७४॥ વિવેચન- લાલપત્નઃ સર્વ પ્રાપ્તઃ વી મક્ષત્તિવાલિત્વી આ અનુમાનમાં અસર્વજ્ઞતા અથવા અનાસતા સાધ્ય છે. અને અક્ષણિક (નિત્ય) એકાન્તવાદિતા એ સાધન છે. “જે જે અસર્વજ્ઞ અથવા અનામ નથી (અર્થાત્ સર્વજ્ઞ અને આત છે). તે તે અક્ષણિક (નિત્ય) એકાન્તવાદી નથી, અર્થાત્ ક્ષણિક એકાન્તવાદી છે. જેમકે “સુગતિ'' (બૌદ્ધ) આ ઉદાહરણમાં ક્ષણિક એકાન્તવાદિતા હોવાથી અક્ષણિકૈકાત્તવાદિત્વ એ સાધનનો અભાવ નિશ્ચિત છે. પરંતુ કોઇની સર્વજ્ઞતા અને આતતા ઇન્દ્રિયજ્ઞાનનો વિષય ન હોવાથી બૌદ્ધમાં પણ અસર્વજ્ઞતાનો અભાવ (એટલે સર્વજ્ઞતા) અને અનાસતાનો અભાવ (એટલે આતતા) છે કે નહીં આ વાત સંદેહવાળી છે. અસર્વજ્ઞતાની વ્યાવૃત્તિ અને અનાપ્તતાની વ્યાવૃત્તિ જાણી શકાતી નથી, માટે સાધ્યધર્મની વ્યાવૃત્તિ શંકાશીલ છે. તેથી આ સંદિગ્ધસાધ્યવ્યતિરેક નામના ચોથા વૈધર્યનું ઉદાહરણ છે. પરમાર્થથી વિચારીએ તો “અસિદ્ધસાધવ્યતિરેક” નામના પ્રથમ વૈધર્મના ઉદાહરણમાં આનો સમાવેશ થાય છે. કારણકે બૌદ્ધ જણાવેલો “ક્ષણિકૈકાન્તવાદ” પ્રત્યક્ષાદિ પ્રમાણોથી ખંડિત થઈ જાય છે. તેથી તેવા મિથ્યા ક્ષણિકકાન્તવાદને કહેનારા બૌદ્ધ ઋષિ અસર્વજ્ઞ છે અને અનાપ્ત છે. આ વાત યુક્તિથી પ્રાપ્ત થઈ જ જાય છે. ફક્ત તે બૌદ્ધની સર્વજ્ઞતા અને આતતાનું ખંડન કરનારાં પ્રમાણોના રહસ્યને (સારનેમાહાભ્યને) સમજવાની શૂન્યતાવાળા સર્વથા અલ્પજ્ઞ એવા પ્રમાતાઓને આશ્રયી આ “સદિગ્ધસાધ્યતિરેક”પણા વડે ચોથા આભાસરૂપે જણાવ્યો છે. પરમાર્થથી પ્રથમમાં જ સમાઈ જાય છે. તે ૬-૭૪ો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy