SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ પરિચ્છેદ ૬-૬૯ રત્નાકરાવતારિકા ભાગ-૩ વચનોચ્ચાર ન કરાય તો તે વચનોમાં શું ગુણ-દોષ છે ? તે જણાય જ નહીં. તેથી વાદીનો આ વાચનિક (વચનસંબંધી) દોષ ગણાય છે. તેથી આ “ઈષ્ટપુરુષ”નું ઉદાહરણ તે અપ્રદર્શિતાન્વય દોષનું ઉદાહરણ જાણવું. આ જ પ્રમાણે “વિપરીતાન્વય” નામના હવે સૂત્ર-૬૮માં કહેવાતા નવમા અન્વયદેષ્ટાન્તમાં, તથા “અપ્રદર્શિતવ્યતિરેક” અને “વિપરીત વ્યતિરેક” નામના હવે પછી સૂત્ર ૭૮-૭૯માં જણાવાતા વ્યતિરેક દૃષ્ટાન્તના દોષોમાં પણ “વચનસંબંધી દોષો છે” એમ જાણવું. / ૬-૬૭ll (૯) દ્ધિઃ નિત્યઃ વૃદ્ધત્વાન્ આ અનુમાનમાં જે જે કૃતક હોય છે. તે તે નિયમા અનિત્ય જ હોય છે. આ વ્યાપ્તિ સાચી છે. તેથી અનુમાન પણ સાચું છે. પરંતુ કોઈપણ અનુમાનમાં સાધ્ય સિદ્ધ થયેલું નથી તેથી પ્રસિદ્ધ હોય છે. જ્યારે સાધ્યને સાધનારૂં સાધન સિદ્ધ થયેલું છે. તેથી તે પ્રસિદ્ધ કહેવાય છે. જેમ પર્વતમાં રહેલો વહ્નિ, ખીણમાં હોવાથી અપ્રસિદ્ધ છે. પરંતુ ધૂમ આકાશમાં હોવાથી અને ચક્ષુગોચર હોવાથી પ્રસિદ્ધ છે. આ કારણે પ્રસિદ્ધ એવા ધૂમદ્વારા અપ્રસિદ્ધ એવો વહ્નિ સમજાવાય છે. તેવી રીતે અહીં પણ પ્રસિદ્ધ એવા તત્વ હેતુના અનુવાદ (પ્રથમકથન કરવા) વડે અપ્રસિદ્ધ એવા નિત્યન્દિનું વિધાન (અનિયત્વની સિદ્ધિ) કરવી જોઈએ. કારણકે આ અનુમાનમાં વૃતત્વ એ હેતુ તરીકે ઉપાદાન કરેલ હોવાથી પ્રસિદ્ધ છે અને નિત્યત્વ એ સાધ્ય તરીકે ઉપાદાન કરેલ હોવાથી અપ્રસિદ્ધ છે. આ કારણથી અનુવાદના સૂચક એવા “સત્' સર્વનામ રૂપ શબ્દ દ્વારા પ્રસિદ્ધ એવા કૃતકત્વનો જ ઉલ્લેખ કરવો ઉચિત છે. અને વિધાન સૂચક એવા “ત'' સર્વનામ રૂપ શબ્દ દ્વારા અપ્રસિદ્ધ એવા અનિત્યત્વનો જ ઉલ્લેખ કરવો જોઇએ. પરંતુ વિધિરૂપે કૃતકત્વનો ઉલ્લેખ કરવો ઉચિત નથી. જ્યારે આ અનુમાનમાં જે અન્યય વ્યાપ્તિ વચનોચ્ચાર દ્વારા જણાવી છે. તે “યત્ર યત્ર નિત્ય તત્ર તત્ર તમ્ યથા પર:' એમ વિપરીત પણે જણાવી છે. માટે આ વિપરીતાન્વય નામનો નવમો સાધર્મપણે દૃષ્ટાનતાભાસ જાણવો. આ પ્રમાણે સાધર્મ દ્વારા જણાવાતા નવે દૃષ્ટાન્નાભાસ અહીં સમાપ્ત થાય છે. / ૬-૬૮ अथ वैधर्म्यदृष्टान्ताभासमाहुः, तानेव प्रकारानुद्दिशन्तिवैधhणापि दृष्टान्ताभासो नवधा ॥६-६९॥ असिद्धसाध्यव्यतिरेकोऽसिद्धसाधनव्यतिरेकोऽसिद्धोभयव्यतिरेकः Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy