SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫૭ ૧ ૧૫ છે. તેથી “વિપક્ષમાં હેતુનો વ્યતિરેક (અભાવ) જ છે.” એમ પણ નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી. તેથી સંદિગ્ધવ્યતિરેક નામ પણ આ જ હેતુનું પ્રવર્તે છે. એમ ત્રણે નામો આ બીજા ભેદરૂપ હેત્વાભાસનાં છે. || ૬-પપપ ત્યાં હવે પ્રથમભેદ નિણીતવિપક્ષવૃત્તિકનું ઉદાહરણ આપે છે સૂત્રાર્થ શબ્દ એ નિત્ય છે. પ્રમેય હોવાથી આ નિર્ણતવિપક્ષવૃત્તિક નામનો પ્રથમ અર્નકાન્તિક હેત્વાભાસ જાણવો. ||૬-૫૬II ટીકાનુવાદ– શબ્દઃ નિત્ય: પ્રમેયનું આ અનુમાનમાં પ્રમેયત એ હેતુ છે. નિત્ય એ સાધ્ય છે. તેથી નિત્યસ્વધર્મવાળાં વ્યોમાદિ ચાર દ્રવ્યો સપક્ષ કહેવાય છે. હવે આ પ્રમેયવહેતુ નિત્યત્વધર્મવાળા સપક્ષસ્વરૂપ એવા વ્યોમાદિ ચારે દ્રવ્યોમાં તો છે જ એવી પ્રતીતિ જેમ થાય છે. તેવી જ રીતે નિયત્વ સાધ્યના અભાવવાળા એવા વિપક્ષસ્વરૂપ અનિત્ય ઘટ-પટાદિ દ્રવ્યોમાં પણ આ પ્રમેયત્વ હેતુ છે જ, એમ પણ પ્રતીત થાય જ છે. કારણકે તેમ પ્રસિદ્ધ જ છે. તેથી નિત્ય એવા વ્યોમાદિમાં અને અનિત્ય એવા ઘટ-પટાદિમાં એમ ઉભયસ્થાને પણ પ્રમેયત્વ હેતુનું પ્રતીય માનપણું સમાન હોવાથી આ પ્રમેયત્વ હેતુ શું નિત્યત્વની સાથે અવિનાભાવી છે? કે શું અનિત્યત્વની સાથે અવિનાભાવી છે? તેનો યથાર્થ બોધ ન થતો હોવાથી આ હેતુની અન્યથાનુપપત્તિ સંદિશ્યમાન બનવાથી અનેકાન્તિકતાને પામે છે. આ જ પ્રમાણે પર્વતનો આ નિતંબભાગ વહ્નિવાળો છે. કારણકે ઉજ્વળ દ્રવ્યોથી યુક્ત છે અહીં ઉજ્વલદ્રવ્યથી યુક્તપણું તો વદ્વિવામાં પણ સંભવે અને વહ્નિરહિત રૂપાના અલંકારો વેચનારની દુકાનોમાં પણ સંભવે. તથા રત્નોની બનેલી દેવવિમાનોની દિવાલોમાં પણ સંભવે. માટે સપક્ષ અને વિપક્ષ એમ બન્નેમાં હેતુની પ્રતીતિ હોવાથી સાધ્યની સાથેની અન્યથાનુપપત્તિ સંદેહાત્મક જ બને છે. આવાં આવાં બીજાં પણ ઉદાહરણો નિર્ણતવિપક્ષવૃત્તિક એવા અનૈકાન્તિકના પ્રથમભેદનાં જાણવાં. I ૬-૫૬ll अथ द्वितीयभेदमुदाहरन्तिसन्दिग्धविपक्षवृत्तिको यथा-विवादपदापन्नः पुरुषः सर्वज्ञो न भवति वक्तृत्वात् ॥६-५७॥ ___ टीका-वक्तृत्वं हि विपक्षे सर्वज्ञे सन्दिग्धवृत्तिकम् । सर्वज्ञ: किं वक्ता, आहोस्विन्न वक्ता ? इति सन्देहात् । एवं स श्यामो मैत्रपुत्रत्वादित्याद्यप्युदाहरणीयम् । सोपाधिरयमिति नैयायिकाः । उपाधिः खल्वत्र शाकाद्याहार Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy