SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ પરિચ્છેદ ૬-૫૭ રત્નાકરાવતારિકા ભાગ-૩ परिणामः, साधनाव्यापकत्वे सति साध्येन समव्याप्तिकत्वात् । साधनव्यापकः खलूपाधिन भवति, अन्यथा वह्नि सम्बन्धोऽपि धूमस्य सोपाधिः स्यात् । आर्टेन्धनसम्बन्धस्य तथाभूतस्य सम्भवात् ॥६-५७॥ હવે સંદિગ્ધવિપક્ષવૃત્તિક નામના બીજા ભેદનું ઉદાહરણ કહે છે સૂત્રાર્થ- વિવાદાસ્પદ એવો પુરુષ સર્વજ્ઞ નથી, વક્તા હોવાથી. આ સંદિગ્ધવિપક્ષવૃત્તિક હેત્વાભાસ કહેવાય છે. I૬-૫oll ટીકાનુવાદ– આ અનુમાનમાં સર્વજ્ઞાભાવ એ સાધ્ય છે. તેથી સર્વશ એ વિપક્ષ કહેવાય છે. તે વિપક્ષમાં એટલે કે સર્વજ્ઞમાં વવતૃત્વ નામનો આ હેતુ સંદેહાત્મકવૃત્તિવાળો છે. કારણકે શું સર્વજ્ઞ વક્તા છે ? કે વક્તા નથી ? એવો સંદેહ વર્તે છે. કેટલાક દર્શનકારો સર્વજ્ઞને સશરીરી માને છે એટલે વષ્નત્વ હોઈ પણ શકે છે, અને કેટલાક દર્શનકારો સર્વજ્ઞને અશરીરી જ માને છે એટલે વકતૃત્વ ન પણ હોઈ શકે. તેથી વક્નત્વ હેતુ અસર્વજ્ઞ એવા સપક્ષમાં તો દેવદત્તાદિની જેમ છે જ. પરંતુ વિપક્ષ એવા સર્વજ્ઞમાં તે વસ્તૃત્વ હોય કે ન હોય એ વાત સંદેહાત્મક છે. માટે આ હેતુ સંદિગ્ધવિપક્ષવૃત્તિક કહેવાય છે. આ જ પ્રમાણે : શ્યામ: મૈત્રપુત્રવત્ તે છોકરો શ્યામ છે. કારણ કે મિત્રા નામની સ્ત્રીનો પુત્ર હોવાથી. (અહીં મિત્રા શબ્દથી તચેમ્ અર્થમાં મન્ પ્રત્યય હોવાથી મિત્રા શબ્દના મિની વૃદ્ધિ, અને મવવધારો થી માનો લોપ થયેલ છે) આવાં આવાં અન્ય ઉદાહરણો પણ આ હેત્વાભાસનાં સમજી લેવાં. અહીં મિત્રાના પુત્રપણું શ્યામ એવા સાત પુત્રોમાં તો છે જ. પરંતુ શ્યામ ન હોય એવા આઠમા પુત્રમાં પણ મિત્રાનું પુત્રપણું હોઈ શકે છે. એવો સંદેહ છે. માટે સંદિગ્ધવિપક્ષવૃત્તિમાં જ તેનો સમાવેશ કરવો. સારાંશ કે મિત્રાના પુત્રપણું હોય એટલે શ્યામપણું હોય જ એવો નિયમ નથી. શ્યામ પણ હોઇ શકે અને ગૌરવર્ણ પણ હોઇ શકે. એમ સંદેહાત્મક હોવાથી આ હેતુ સંદિગ્ધવિપક્ષવૃત્તિ કહેવાય છે. નૈયાયિકો આ હેતુને સોપાધિક માનીને વ્યાપ્યતાસિદ્ધ કહે છે. આ અનુમાનમાં “શાકાદિ આહારનો પરિણામ” એ ઉપાધિ લાવે છે. જે સાધનની સાથે અવ્યાપક હોતે છતે સાધ્યની સાથે વ્યાપક હોય તેને ઉપાધિ કહેવાય એમ તેઓ કહે છે. ઉપાધિનું આ લક્ષણ શાકાદિ આહાર-પરિણામમાં સંભવતું હોવાથી તે ઉપાધિ બને છે. કારણકે શાકાદિઆહાર-પરિણામ એવી જે ઉપાધિ છે તે સાધનભૂત એવા મિત્રાપુત્રની સાથે અવ્યાપક છે. આઠમા પુત્રમાં મિત્રાપુત્રત્વ છે. પરંતુ સાવદ્રિ-મહારપરિણામ નથી. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy