SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ભાગ-૩ પરિચ્છેદ ૬-૫૩ ૧૦૯ અત્યારે વર્તમાનકાળે શ્રોત્રેન્દ્રિયથી ગોચર નથી. તથાપિ તે સર્વે શબ્દો તે તે કાળે અને તે તે ક્ષેત્રે શ્રોત્રેન્દ્રિયથી ગ્રાહ્ય તો છે જ. આ કારણથી પક્ષવ્યાપકતા નિર્દોષપણે છે. તથા સાધ્ય નિત્ય હોવાથી જે જે પદાર્થો અનિત્ય છે તે સર્વે વિપક્ષ કહેવાય છે. તેમાં ઘટ-પટાદિ જે પદાર્થો અનિત્ય હોવાથી વિપક્ષ છે ત્યાં બાધેન્દ્રિયગ્રાહ્યત્વ એવો આ હેતુ વર્તે છે. અને સુખ-દુઃખાદિ જે આત્મગુણો છે. તે અનિત્ય હોવાથી વિપક્ષ છે. પરંતુ ત્યાં બાધેન્દ્રિયગ્રાહ્યત્વ હેતુ સંભવતો નથી. તેથી આ હેતુ વિપક્ષમાં સર્વત્ર વ્યાપક નથી. પરંતુ એકદેશવૃત્તિ થયો. આ વિરુદ્ધહેવાભાસનું બીજું ઉદાહરણ છે. (૨) (૩) પક્ષવિપક્ષેશવૃત્તિ =જે હેતુ પક્ષના પણ એકદેશમાં અને વિપક્ષના પણ એકદેશમાં માત્ર વર્તે છે. તે આ નામનો હેતુ કહેવાય છે. જેમકે શબ્દઃ નિત્ય પ્રયત્નતરીયત્વત્ (પ્રયત્નનન્યત્વ) શબ્દ એ નિત્ય છે. કંઠ-તાલ ઓષ્ઠ આદિના પ્રયત્નથી ઉત્પન્ન થાય છે માટે. અહીં શબ્દ નામનો પક્ષ છે તેમાં પુરુષો (આત્મા) વક્તા હોવાથી તજ્જન્ય જે જે શબ્દો છે ત્યાં પ્રયત્નજન્યત્વ હેતુ વર્તે છે. પરંતુ વાયુ આદિના ઘર્ષણથી ઉત્પન્ન થનારા વાંસળી-વાજું-નગારૂ, વરસાદની ગાજવીજ, વિજળીના તડાકા, વાયુનું તોફાન વગેરે શબ્દોમાં આ હેતુ નથી. તેથી પક્ષના એકદેશમાં વૃત્તિ થઇ. તથા નિત્ય સાધ્ય હોવાથી અનિત્ય એ વિપક્ષ થાય છે. ત્યાં વિપક્ષ=(અનિત્ય) એવા ઘટપટાદિમાં પ્રયત્નજન્યત્વ હેતુ વર્તે છે. પરંતુ વાદળ અને વિજળી વગેરે વિપક્ષમાં આ હેતું નથી. તેથી વિપક્ષના પણ એક દેશમાં જ વર્તનાર આ હેતુ થાય છે. (૩) (૪) પક્ષેશવૃત્તિર્વિવ્યાપ: જે હેતુ પક્ષના એકદેશમાં વસ્તું પરંતુ વિપક્ષમાં સર્વત્ર વ્યાપક હોય તે આ નામનો ચોથો વિરુદ્ધ હેતુ કહેવાય છે. જેમકે પૃથ્વી, નિત્યા, તસ્વીત્, આ હેતુ થશુક-ચણકાદિ પૃથ્વીપક્ષમાં વર્તે છે. પરંતુ પરમાણુ આત્મક પૃથ્વીપક્ષમાં વર્તતો નથી. તેથી પક્ષના એક દેશમાં વૃત્તિવાળો થયો. તથા નિત્ય સાધ્ય હોવાથી અનિત્ય એવા વિપક્ષમાં સર્વત્ર કૃતકત્વ હેતુ વ્યાપકપણે છે જ. તેથી વિપક્ષવ્યાપક પણ થયો. આ રીતે આ કૃતજ્ય હેતુ પક્ષના એકદેશમાં વૃત્તિવાળો અને વિપક્ષમાં વ્યાપક્તાવાળો થયો. (૪) આ રીતે વિરુદ્ધહેત્વાભાસના અન્યદર્શનકારો માને છે તે પ્રમાણે ૪ ભેદો સપક્ષ હોતે છતે જણાવ્યા. હવે સપક્ષ ન હોતે છતે પણ વિરુદ્ધહેવાભાસના જે ૪ ભેદો થાય છે તે જણાવે છે. असति सपक्षे चत्वारो विरुद्धाः । पक्षविपक्षव्यापको यथा-आकाशविशेषगुण: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001268
Book TitleRatnakaravatarika Part 3
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2004
Total Pages444
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy