SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા પક્ષની પ્રસિધ્ધિ કોનાથી થાય ? તેનું વર્ણન ૪૩૦ દેખાય છે. તેમ ધરિત્રીધરની (પર્વતની) પણ અનુવૃત્તિ (વિદ્યમાનતા) હોય, એમ દેખાતું નથી. ૩-૧૯ો. ટીકા :- તમેતત્ - ટીકાનુવાદ :- આ સૂત્ર અત્યન્ત વ્યક્ત (સ્પષ્ટ) છે. વધુ સમજાવવાની જરૂર નથી. સારાંશ કે હેતુ એવા ધૂમની સાથે ધર્મભૂત વહ્નિનો સહચાર સર્વત્ર મળે છે. તેવો ધૂમની સાથે ધર્મી એવા પર્વતનો સહચાર સંભવતો નથી. માટે વ્યાયિકાલે સાધ્યરૂપે ધર્મ જ માત્ર હોય છે. ધર્મ સાધ્ય હોતુ નથી. (પરંતુ અનુમિતિકાલે ધર્મવિશિષ્ટ એવો ધર્મ, અર્થાત્ વહ્નિવિશિષ્ટ એવો પર્વત એ સાધ્ય હોય છે. તે વાત હવે પછીના બીજા સૂત્રમાં સમજાવાશે). N૩-૧૯ आनुमानिकप्रतिपत्त्यवसरापेक्षया तु पक्षापरपर्यायस्तद्विशिष्टः પ્રસિદ્ધ ધર્મી રૂ-૨ પરંતુ આનુમાનિકની (અનુમિતિની) પ્રાપ્તિના કાળની અપેક્ષાએ તો પક્ષ છે બીજું નામ જેનું એવો, વિદિ = ધર્મભૂત એવા વઢિથી યુકત એવો અને પ્રસિદ્ધ એવો જે ધર્મી પર્વત છે તે સાધ્ય કહેવાય છે. આ૩-૨૦ ટીકા - મનુમાનિક પ્રતિપત્તિનનુમાનોમવમિતિ, વિશિષ્ટ સાિિાપેક્ષા સાધ્યમિત્તે ધર્મે વિશિષ્ટ રૂ-૨૦ ટીકાનુવાદ - આનુમાનિક પ્રતિપત્તિ એટલે કે અનુમાન પ્રયોગ કરવા દ્વારા ઉત્પન્ન થનારી જે પ્રતીતિ તે, અર્થાત્ અનુમિતિ રૂપ જે બોધ છે, જેમ કે “તમાન્ માં પર્વતો વદ્વિમાવ'' આ અન્તિમ જે ફલસ્વરૂપ બોધ થાય છે તેને આનુમાનિક પ્રતિપત્તિ કહેવાય છે. તે આનુમાનિક પ્રતિપત્તિકાળે, અર્થાત્ અંતિમફળ સ્વરૂપે અનુમિતિ ઉત્પન્ન થાય ત્યારે તિિાષ્ટઃ = તે ધર્મથી યુક્ત, એટલે કે વ્યાપ્તિકાળે જે “વહિ” માત્ર ધર્મ જ સાધ્ય હતું તે ધર્મભૂત એવા વહ્નિથી યુક્ત એવો પર્વત, અર્થાત્ ધર્મી, પક્ષ છે બીજું નામ જેનું તે વહ્નિયુક્ત પર્વત સાધ્ય છે. માત્ર એકલો ધર્મભૂત વહ્નિ કે માત્ર એકલો ધર્મીભૂત પર્વત એ સાધ્ય નથી. પરંતુ ધર્મયુકત એવો ધર્મી સાધ્ય છે. કારણ કે પર્વત તો પહેલેથી જ ચહ્યુગોચર થયેલો જ છે. એટલે માત્ર પર્વત સાધ્ય નથી. પરંતુ આ પર્વત વહ્નિવાળો છે એમ સાધ્ય અનુમિતિમાં બને છે. સારાંશ કે - (૧) વ્યાયિકાલે વહ્નિ આદિ રૂપ ધર્મ માત્ર સાધ્ય છે. (૨) અનુમિતિકાલે વહ્નિથી વિશિષ્ટ એવો ધર્મી જે પર્વત તે સાધ્ય છે. ૩-૨૦ प्रसिद्धो धर्मीत्युक्तम्, अथ यतोऽस्य प्रसिद्धिस्तदभिदधति - धर्मिणः प्रसिद्धिः कचिद्विकल्पतः, कुत्रचित्प्रमाणतः, कापि વિશFપ્રમાભ્યામ્ રૂ-૨શા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy