SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૧ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૨૨ રત્નાકરાવતારિકા પ્રસિદ્ધ એવો જે ધમ તે સાધ્ય કહેવાય છે.” એમ પૂર્વના ૨૦ મા સૂત્રમાં કહ્યું છે. તેથી શિષ્યના મનમાં શંકા થવાનો સંભવ છે કે ધર્મની પ્રસિદ્ધિ શાનાથી થાય ? તે સમજાવવા માટે હવે આ ધર્માની પ્રસિદ્ધિ જેનાથી થાય છે તે સમજાવે છે કે - ધર્મી એવા પક્ષની પ્રસિદ્ધિ ક્યારેક વિકલ્પમાત્રથી હોય છે. ક્યારેક પ્રમાણથી હોય છે. અને ક્યારેક વિકલ્પ તથા પ્રમાણ એમ ઉભયથી હોય છે. પ૩-૨૧ ટીકા :- વિજ્યોsધ્યવસાયથાનમ્ In૩-૨શા ટીકાનુવાદ - વિકલ્પ એટલે માત્ર મનનું અધ્યવસાયસ્થાન માનસિક કલ્પનામાત્ર, વસ્તુ ન હોય પરંતુ મનથી કલ્પીને રજુ કરવામાં આવે તે વિકલ્પ. જ્યારે પર્વતો વલમાનું ધૂમાત્ ઈત્યાદિ બોલાય છે ત્યારે પર્વત રૂપ ધર્મી ચાક્ષુષાદિ પ્રત્યક્ષથી ગ્રાહ્ય છે. માટે પ્રમાણથી પ્રસિદ્ધ ધર્મ છે. પરંતુ જ્યારે ચાક્ષુષાદિ પ્રત્યક્ષ વિગેરે પ્રમાણોથી પક્ષરૂપ ધર્મી પ્રસિદ્ધ ન હોય ત્યારે મનથી કલ્પના કરીને પણ સાધ્ય સાધવા માટે પક્ષની રજુઆત કરવી જ પડે છે તે વિકલ્પથી પ્રસિદ્ધ ધર્મી કહેવાય છે. જેમકે “સર્વજ્ઞઃ મતિ પથાર્થશે જ્ઞાત્વાન્ ઈત્યાદિ અનુમાનોમાં સર્વજ્ઞ પુરૂષનું અસ્તિત્વ હજુ સાધ્યમાન છે, સિદ્ધ નથી. તથાપિ મનથી કલ્પીને મુકવામાં આવ્યું છે. આ જ વાત હવે પછીના સૂત્રમાં ગ્રંથકારશ્રી જ વધારે સ્પષ્ટ કરે છે. अथात्र क्रमेणोदाहरन्ति . यथा समस्ति समस्तवस्तुवेदी, क्षितिधरकन्धरेयं धूमध्वजवती, ધ્વનિ પરિતિમાનું રૂ-૨૨ાા હવે (૧) વિકલ્પથી, (૨) પ્રમાણથી અને (૩) ઉભયથી પક્ષની પ્રસિદ્ધિ હોય છે આ બાબત ઉપર અનુક્રમે ત્રણ દષ્ટાન્ત કહે છે. જેમકે (૧) આ સંસારમાં સમસ્ત વસ્તુઓને જાણનારા કોઈક (સર્વજ્ઞ) છે જ. (૨) પર્વતની આ ટોચ અગ્નિવાળી છે. અને (૩) શબ્દ પરિણતિવાળો-પર્યાયવાળો-અનિત્ય છે. આ ત્રણે અનુક્રમે પક્ષની સિદ્ધિનાં ઉદાહરણો છે. પ્રથમ ઉદાહરણમાં વિકલ્પથી, બીજા ઉદાહરણમાં પ્રમાણથી અને ત્રીજામાં ઉભયથી પક્ષની પ્રસિદ્ધિ છે. આ વાત આ સૂત્રની ટીકામાં જ વધારે સ્પટ ગ્રંથકાર કરે જ છે. ૩-૨૨ ટીકા - ગાયોને ઘળિો વિશન સિદ્ધિ ન હિ હેતુ યોર્ પૂર્વ વિજ વિદાય વિશ્વवित् कुतोऽपि प्रासिध्यत् । द्वितीये प्रमाणेन प्रत्यक्षादिना, क्षितिधरकन्धरायास्तदानीं संवेदनात् । तृतीये तूभाभ्याम् । न हि श्रूयमाणादन्येषां देशकालस्वभावव्यवहितध्वनीनां ग्राहकं किञ्चित् तदानीं प्रमाणं प्रवर्तत इति विकल्पादेव तेषां सिद्धिः । ટીકાનુવાદ - અહીં “ક્ષમતવતુવેરી (અર્થાત્ સર્વશઃ), તિ” આવા પ્રકારના પ્રથમ અનુમાન પ્રયોગમાં “સમસ્તવસ્તુવેદી-સર્વજ્ઞ”એવો જે પક્ષપ્રયોગ કરવામાં આવ્યો છે તે ધર્મીની સિદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy