SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૯ - તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬ રત્નાકરાવતારિકા હોવા છતાં તે બન્નેમાં સાદશ્ય” નામનો પદાર્થ તમે માનો છે માટે તેને વિષય કરીને ઉત્પન્ન થતું સાદશ્યજ્ઞાન સ્વવિષયના વ્યવસાયવાળું હોવાથી તેને જણાવનારી ભાગ્યશાળી એવી પ્રત્યભિજ્ઞા પણ હવે નિર્ભયપણે પ્રમાણિતાને પામશે જ. બૌધ્ધ :- પૂર્વાપર ક્ષણોમાં “સદશ્ય” નામનો પદાર્થ નથી જ, કારણ કે પૂર્વેક્ષણથી ઉત્તરક્ષણ, અને ઉત્તરક્ષાણથી તેની ઉત્તરનો ક્ષણ, એમ સર્વે પદાર્થો વિલક્ષણ જ છે. એમ અમે માનીશું. એટલે કે “સાદશ્ય” જ નથી તો સદશતાને જણાવનારી પ્રત્યભિજ્ઞા કયાંથી પ્રમાણ બનશે ? જેન :- દ્વાનમાર = એમ માનશો તો પણ હજુ તમે કયાં પલાયન થઈ શકશો. અર્થાત્ ભાગીને ક્યાં જશો ? અમારી તર્કજાલમાંથી તમે કયાંથી છટકી શકશો ? કારણ કે જુઠું બોલનારો અંતે ફસાય જ છે. જો તમે સાદશ્ય ન માન્યું તો સદશતાને જણાવનારી પ્રત્યભિજ્ઞા ભલે પ્રમાણભૂત ન હોય. તો પણ પૂર્વાપર ક્ષણો સદશતા વિનાની છે. અર્થાત્ વિલક્ષણ છે. એમ તમે માન્યું. તો વિલક્ષણતાને જણાવનારી પ્રત્યભિજ્ઞા “આ ઉત્તરક્ષણ તે પૂર્વેક્ષણથી વિલક્ષણરૂપ છે” ઈત્યાદિ સ્વરૂપ પ્રત્યભિજ્ઞા તો પ્રમાણતાને પામશે જ. સારાંશ કે પૂર્વાપર ક્ષણો (પદાથો) ભલે ક્ષણિક માનો તો પણ જો તે બન્ને વચ્ચે સદશતા માનશો તો સદશતાને જણાવનારી પ્રત્યભિજ્ઞા પ્રમાણભૂત થશે અને જો પૂર્વાપરક્ષણોને વિલક્ષણ માનશો તો “આ મહિષ ગાયથી વિલક્ષણ છે” ઈત્યાદિની જેમ વિલક્ષણતાને જણાવનારી પ્રત્યભિજ્ઞા પ્રમાણભૂત બનશે. માટે તમે છટકીને કયાં ભાગી જશો ? સદશતાને કે વિસદશતાને જણાવનારી એક પ્રત્યભિજ્ઞાને તો તમારે છેવટે પ્રમાણ માનવી જ પડશે. ___वैलक्षण्यमपि नास्ति, परमाणुप्रचयमात्रत्वात् समस्तवस्तूनामिति चेत् ? नन्वेमपि "तस्मादयं महान्, अल्पो वा प्रचयः" इत्यादिप्रत्यभिज्ञा भवतु प्रामाण्यशोभाभारभागिनी । प्रचयोऽपि न कश्चित्, नीलपीतादिपरमाणूनामेव तात्त्विकत्वादिति चेत् । अहो उत्तमर्णाऽऽकीर्णदुर्गताधमर्ण इवायं स्वयं तत्तदुक्ततलप्यामलप्य निनझुर्भिक्षुः । બૌધ્ધ = પૂર્વાપર ક્ષણોમાં (સમય-સમયવર્તી નવા નવા ઉત્પન્ન થતા પદાર્થોમાં) અમે (બૌધ્ધો) જેમ સાદશ્ય નથી માનતા, તેમ વિલક્ષણતા પણ નથી એમ જ માનીશું. અર્થાત્ પૂર્વાપર ક્ષણોમાં સાદશ્ય કે વૈસાદ કંઈ જ નથી કે જેથી તમારી માનેલી પ્રત્યભિજ્ઞા સિધ્ધ થાય, પરંતુ અમે એમ માનીશું કે સમસ્ત વસ્તુઓ પરમાણુઓનો પ્રચયમાત્ર જ છે. પરમાણુઓને પુંજ જ માત્ર છે. આટલું જ માનીશું. આ રીતે અમે સાદશ્ય કે વૈસાદશ્યને માનીશું જ નહીં તો પછી પ્રત્યભિજ્ઞા કયાં સિધ્ધ થવાની ? ઉત્તર :- જો એમ માનશો તો પણ નાના ઘડા અને મોટા ઘડાને વિષે “તે નાના ઘટથી આ મોટા ઘટ રૂપ પરમાણુ પ્રચય મોટો છે” અને “તે મોટા ઘટથી આ નાનાઘટ રૂપ પરમાણુપ્રચય અલ્પ છે' ઈત્યાદિ રૂપ પ્રત્યભિજ્ઞા તો (પૂર્વાપરની સંકલના રૂપ અને યથાર્થ હોવાથી) પ્રમાણતાની શોભાના ભારને વહન કરનારી બનશે જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy