SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા પ્રત્યભિજ્ઞાનનાં ઉદાહરણો ૩૮૨ કહેશો ? સામે જે આ પિંડ દેખાય છે તે ગવય એવી વાણીથી વા. કહેવાય નહીં કારણ કે ગાયથી વિલક્ષણ છે આવું જ્ઞાન કરે છે કે જે જ્ઞાન સંજ્ઞા-સંજ્ઞીના સંબંધના પ્રતિષેધાત્મક ફલવાળું છે તેને તમે કયુ પ્રમાણ માનશો ? આ બીજો દોષ પણ આવશે. તેથી હવે સમજો કે આવા પ્રકારનાં જે કોઈ જ્ઞાનો છે તે સર્વે પછી ભલે તે સદશતાથી સંજ્ઞાસણીના સંબંધનું વિધાન કરતાં હોય, કે વિસદશતાના જ્ઞાનથી સંજ્ઞા-સંજ્ઞીના સંબંધનો પ્રતિષેધ કરતાં હોય, તે સર્વે જ્ઞાનો પૂર્વાપરની સંકલના સ્વરૂપ હોવાના કારણે પ્રત્યભિજ્ઞાન જ કહેવાય છે. અન્યથા - જો એમ નહીં માનો તો આ એકેકને ભિન્ન-ભિન્ન પ્રમાણ માનવાથી શાસ્ત્રોમાં કહેલી પ્રમાણની નિયત સંખ્યા પ્રલય પામશે. જેવી ગાય હોય છે તેવું જ ગવય હોય છે' આવા પ્રકારનું વાકય જ્યારે તે શ્રોતા વડે સંભળાયું તે જ વખતે સામાન્યથી તેના ચિત્તમાં સસુરાયમાન એવા સમાનાકારવાળા પિંડમાં સંબંધની. પ્રતીતિ થઈ જ ચુકી હતી. જેમ ઘટપદાર્થના અનુભવી કોઈ કુંભારાદિ પાસેથી “નીચેથી પહોળાપહોળા અને ઉપરથી સાંકડા સાંકડા ઉદરવાળો આકાર છે જેનો, તથા ગોળ છે કાંઠલો જેનો એવો પદાર્થ કુંભ છે એમ તું જાણજે. આવું વાકય સાંભળવાથી કુંભમાં સંબંધની પ્રતીતિ થઈ જ જાય છે તેમ ગોસો નવઃ ઈત્યાદિ વાક્યો સાંભળવાથી તે જ વખતે સંજ્ઞા-સંજ્ઞીના સંબંધની પ્રતીતિ સામાન્યથી થઈ જ જાય છે. ___ ततः कान्तारविहारिणोऽस्य गवयसाक्षात्कारे प्राक्तनसामान्याकारसम्बन्धस्मरणे च "स एष गवयशब्दवाच्यः" इति सङ्कलनाज्ञानरूपं प्रत्यभिज्ञानमुन्मज्जति । एवं "गोविसदृशो महिषः" इत्याद्यपि तथारूपत्वात् प्रत्यभिज्ञानमेवेति ।। આ પ્રમાણે અનુભવી પાસેથી “ગાયના સરખું હોય તે ગવય” આ વાક્ય સાંભળવા માત્રથી જ ઘટજ્ઞાનની જેમ તે જ વખતે ચિત્તમાં સંજ્ઞા-સંજ્ઞીના સંબંધની પ્રતીતિ સામાન્યથી થઈ જ ચુકી છે માટે ત્યારબાદ જંગલમાં ફરતાં ફરતાં આ પુરૂષને ગવય નામના પ્રાણીનો ચક્ષુ દ્વારા સાક્ષાત્કાર થયે છતે “પૂર્વે જાણેલો સામાન્ય આકાર (સરખા આકાર વાળાપણું) અને સંજ્ઞા-સંજ્ઞીનો સંબંધ, આ બન્નેનું સ્મરણ થયે છતે તે જ આ ગવયશબ્દથી વાચ્ય પ્રાણી છે” ઈત્યાત્મક સંકલના સ્વરૂપ પ્રત્યભિજ્ઞાન જ ઉત્પન્ન થાય છે. (પરંતુ ઉપમાન પ્રમાણ માનવાની કંઈ જ જરૂર નથી) તેવી જ રીતે “ગાયથી વિલક્ષણ જે પિંડ તે મહિષ” કહેવાય છે, તથા “આ તુરંગ ગાયથી વિલક્ષણ છે માટે ગવય નથી” ઈત્યાદિ જ્ઞાનો પાગ તથારૂપ હોવાથી એટલે કે સંકલના સ્વરૂપ હોવાથી પ્રત્યભિજ્ઞાન જ કહેવાય છે. ભિન્ન ભિન્ન પ્રમાણ માનવાની અલ્પ પણ આવશ્યકતા નથી. અન્યથા જો ભિન્ન એવું ઉપમાન પ્રમાણ માનશો તો વિસદશામાં પણ ભિન્ન પ્રમાણ માનતાં પ્રમાણોની ઇયત્તા (નિયત પ્રમાણ સંખ્યા) રહેશે નહીં. मीमांसकोऽपि “अनेन सदृशः स गौः" इत्यनधिगतं गवि सादृश्यमवस्यदुपमानं प्रमाणमाचक्षाणो अनेन महिषेण विसदृशः स गौः' इत्यनधिगतमहिपवैसदृश्यव्यवसायकस्य प्रमाणान्तरताप्रसङ्गेन पराकरणीयः। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy