SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા સામાન્યના બીજા ભેદનું વર્ણન . ૭૨૦. बन्धुरबान्धवयोरिव भावाभावयोः समकालमेवोपलम्भो भवेत्, अविरोधात् । तदुत्तरकालभावित्वे तु घटादेः किमायातम, येनासौ स्वोपलम्भं स्वार्थक्रियां च न कुर्यात् । न हि तन्त्वादेः समुत्पन्ने पटे घटः स्वोपलम्भं स्वार्थ क्रियां च कुर्वन् केनचित् प्रतिषेधुं शक्यः । તથા વળી હે જૈન ! નાશના કારણભૂત એવાં જે મુરાદિ છે તેના વડે કરાતો નાશ મીવાત્ ઘટાદિ વિવક્ષિત પદાર્થથી પૃથભૂત છે કે અપૃથભૂત છે ? મુગરાદિ વડે કરાતો નાશ ઘટાદિથી શું ભિન્ન છે કે અભિન્ન છે ! પૃથમૂતઃ = મુદ્રાદિ વડે કરાયેલો આ નાશ ઘટાદિ પદાર્થથી અપૃથભૂત (અભિન્ન) છે એમ જ કહેશો તો મુગરાદિ તે કારણો વડે કરાયેલો નાશ ઘટાદિથી અભિન્ન હોવાથી નાશ પર્યાય કરાય છતે ઘટાદિ જ કરાયેલા થશે. એટલે કે મુગરાદિ વડે ઘડો કરાયો છે એવો અર્થ થશે. કારણ કે નાશ અને ઘટાદિ પદાર્થ એ બે અભિન્ન માન્યા છે. તેથી તે બેમાંથી એક કરાયે છતે બીજો પણ અભિન્ન હોવાથી કરાયેલો જ થાય છે. તેથી ઘટાદિ ઉત્પન્ન કરાયા એવો અર્થ થશે અને ત વ = તે ઘટાદિ તો સ્વતો = પોતાના જનક મૃ-દંડ-ચક્ર-ચીવરાદિથી જ ઉત્તે: = ઉત્પન્ન થયેલો જ છે. કૃતી વેરાયો ત્ = જે એકવાર પોતાના કારણોથી કરાયેલું હોય છે. તેનું ફરીથી (અન્ય કારણો દ્વારા) કરાણ (કરવાપણું) માનવું તે ઉચિત નથી. તેથી તે તુવેયર્થ્ય તફ્લેવ = “તેના નાશના કારણોનું વ્યર્થપણું' તે જ દોષ ફરીથી આવ્યો. કે જે દોષ તમારી માન્યતામાં અમને ઈષ્ટ (માન્ય) છે. તમારી માન્યતામાં અમે જે તહેતુવ્યર્થતા નામનો દોષ પ્રથમ કહ્યો હતો તે જ દોષ ફરીથી અહીં આવ્યો. ૩થ પૃથમૂતો = હવે જો આ નાશ ઘટાદિ પદાર્થરાશિથી પૃથભૂત છે (અર્થાત્ ભિન્ન છે) એમ જ કહેશો તો અમે તમને પૂછીએ છીએ કે આ નાશ ઘટાદિપદાર્થના સમકાલભાવી છે? (પદાર્થ વિદ્યમાન હોય તે કાલે નાશ હોય છે?) કે તેના ઉત્તરકાલભાવી છે ! (ઘટાદિના અભાવકાલમાં હોય છે ?) તત્ર સમક્ષત્રિમાવિત્વે = ત્યાં જો રામકાલ ભાવી કહેશો તો નિર્મર = અત્યન્ત પ્રતિવર્ધી = સ્નેહ વડે વધુર પ્રેમાળ બનેલા વાધવવિ = બે ભાઈઓની જેમ ઘટાદિપદાર્થ અને તેનો નાશ (અભાવ) સમકાલે જ દેખાવા જોઈએ, પરસ્પર અવિરોધી હોવાથી ભાવ અને અભાવ બન્ને સાથે જણાવા જોઈએ. અને સાથે જાગાતા નથી. ઘટ હોય ત્યારે ઘટાભાવ નથી જાગાતો, અને ઘટાભાવ હોય છે ત્યારે ઘટ નથી જણાતો માટે આ પક્ષ વ્યાજબી નથી. હવે જો એમ કહો કે આ નાશ એ ઘટાદિના ઉત્તરકાલે થનાર છે. તો તેમાં ઘટાદિને શું આવ્યું? કે પેનાસી જેથી આ ઘટાદિ પોતાનું જ્ઞાન અને પોતાની નિયત અર્થક્રિયા ન કરે ? જે આ નાશ ઘટાદિના ઉત્તરકાલમાં આવનાર હોય તો ભલેને તે નાશ ઉત્તર કાળમાં આવીને બેસે ? તેમાં ઘટાદિને શું લાભ-નુકશાન? આ નાશ ઘટાદિથી ભિન્ન માનેલો છે. તે આવે તો પણ ઘટાદિને ચાલ્યા જવાની શું જરૂર ? ઘટાદિપદાર્થોએ તો અમે તો આ પૃથ્વી ઉપર હયાત જ છીએ એવો સ્વઉપલંભ કરાવવો જોઈએ અને જલાધારાદિ અર્થ ક્રિયા પાગ નાશ આવ્યા પહેલાં જેવી કરતા હતા, તેવી જ કરવી જોઈએ. કારણ કે ઘટાદિને અને નાશને શું સંબંધ ? કંઈ જ નહીં. જેમ પટ એ ઘટથી અત્યન્ત ભિન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy