SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા પ્રમેય પદાર્થનું વર્ણન ६७८ તે તે વ્યકિત માત્રમાં સર્વવ્યાપી છે. એટલે કે ગોત્વ નામનું સામાન્ય એક એક ગાયવ્યકિતઓમાં સર્વત્ર વ્યાપક છે ? કે સર્વત્ર સર્વવ્યાપક છે. અર્થાત્ સમસ્તલોકમાં તે ગોવાદિ ઈચ્છો છો ? યદ્દેિ પ્રારૂનમ્ = જો પહેલો પક્ષ કહેશો તો ગાયના ગર્ભભાગમાં જયાં ત = વાછરડાનું ઉદિરો = ઉત્પત્તિ સ્થાન છે. તે ભાગમાં તત્ = તે ગોવાદિ સામાન્ય વિદ્યમાનં = અવિદ્યમાન જ છે. અર્થાત્ નથી, એમ જ તમારે વનીયમ્ = કહેવું પડશે. જો એમ નહીં કહો અને વાછરડાના ઉત્પત્તિક્ષેત્રવાળા ગર્ભભાગમાં પણ ગોવાદ્રિ સામાન્ય છે એમ જ કહેશો તો ગોવાઃિ સામાન્યનું તમે માનેલું વ્યક્તિની સાથેનું સર્વવ્યાપકત્વ ઘટશે નહીં. કારણ કે વિવક્ષિત એવી આ ગાય વ્યકિત કે જે માતા બને છે તેનો આત્મા તે ગર્ભભાગમાં પોલાણ હોવાથી અને વાછરડાનો (અન્ય જીવનો) ઉત્પાદ હોવાથી ત્યાં નથી અને ગર્વ છે. એટલે માત્ર એ ગાય વ્યકિતને છોડીને અન્યત્ર સ્વતંત્ર એકલું પણ રહેનારું થયું. તેથી ગાય વ્યકિતની સાથે વ્યાપકતા રહેતી નથી. પરંતુ વ્યભિચારિતા થાય છે. તથા બીજો એ પણ દોષ આવે છે કે તે ગર્ભભાગમાં વાછરડું પહેલાં ન હતું. પછી ઉત્પન્ન થયું છે. તેથી ઉત્પન્ન થયેલા એવા તે વાછરડા રૂપ વ્યકિતમાં તે ગર્વ છે કે નહીં ? “નથી” એમ તો કહી શકશો જ નહીં કારણ કે વ્યક્તિમાં સર્વગતત્વ તમે માન્યું છે અને વાછરડું એ પણ નવી એવી એક વ્યકિત છે તેથી વ્યકિત સર્વગતત્વ ગોત્વનું માનવાથી ત્યાં અવશ્ય નોતું હોવું જ જોઈએ, માટે “નથી” એમ કહી શકશો નહીં. હવે “છે” એમ જ કહેશો તો તત્ર તત્ તઃ મવેત્ = તે વાછરડામાં માનેલું તે નોર્વ સામાન્ય કયાંથી થયું ? અર્થાતુ કયાંથી આવ્યું ? (૧) શું વાછરડા નામની જે આ વ્યકિત ગર્ભભાગમાં ઉત્પન્ન થઈ છે. તે વ્યકિતની સાથે જ નવું નવું ઉત્પન્ન થયું છે કે (૨) વ્યકત્યન્તરથી (પોતાને જન્મ આપનાર માતા સ્વરૂપ ગાય વ્યકિતથી) તે વાછરડામાં આવેલું છે ? આ બે પક્ષોમાંથી કહો તમે કયો પક્ષ સ્વીકારશો ? નાયઃ પક્ષ = પ્રથમ પક્ષ બરાબર નથી. એટલે કે ઉત્પન્ન થતા એવા વાછરડા નામની નવી વ્યકિતની સાથે જ ઉત્પન્ન થયું છે. આ પ્રથમપક્ષ જો કહો તો તે બરાબર નથી.કારાગકે ૩૩ નિત્યત્વેના સ્વીતવા = આ સામાન્ય તમે નિત્ય તરીકે જ સ્વીકાર્યું છે. અને જે નિત્ય હોય તેની ઉત્પતિ કે અંત સંભવતો જ નથી. માટે આ ગોવાદિ સામાન્ય તર્ગકની સાથે ઉત્પન્ન થાય છે એ પક્ષ ઉચિત નથી. દ્વિતીયપક્ષે તુ = હવે જો બીજો પક્ષ કહેશો તો એટલે કે માતાભૂત ગાય વ્યકિતમાંથી વાછરડામાં ગોત્ર આવે છે એમ જ કહેશો તો તતઃ = તે માતાભૂત ગાયમાંથી મા-છત્ તત્ = આવતું એવું તે નોત માતાભૂત પૂર્વવ્યકિતને ત્યજીને તાર્ગમાં આવે છે કે પૂર્વવ્યકિતને ત્યજ્યા વિના તાર્ણકમાં આવે છે ? પ્રાવિવિપે-જો પ્રથમ વિકલ્પ કહો તો માતાભૂત પૂર્વવ્યક્તિને છોડીને નોર્વ આ તાર્ણકમાં આવે છે. એમ જો કહો તો માતાભૂત પૂર્વવ્યક્તિ રૂપ જે ગાય છે તે ગાયને સામાન્ય વિનાની (ગોત્વવિનાની) માનવાની તમને આપત્તિ આવશે. હવે જો બીજો પક્ષ કહેશો તો એટલે કે પૂર્વવ્યકિતને ત્યજ્યા વિના આ ગોત્વ તર્ગકમાં આવે છે. એમ જ કહેશો તો તે ત્વ પૂર્વવ્યકિતને સાથે લઈને આ તર્ણકમાં દાખલ થાય છે કે ગોત્વ એક અંશથી પૂર્વવ્યક્તિમાં રહે છે અને બીજા એક અંશથી તર્ણકમાં આવે છે ? આ બે પક્ષમાંથી કહો કયો પક્ષ સ્વીકારશો ? મા = પ્રથમપક્ષ કહો તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy