SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૩ સમભંગીમાં સાત જ ભાંગા કેમ ? તેની વિચારણા રત્નાકરાવતારિકા જેમ કે જીવદ્રવ્યમાં નિત્યાનિત્યવિષયક પ્રશ્નો નીચે મુજબ સાત જ થાય છે. (૧) શું જીવ નિત્ય છે ? હા - વ્યાર્થિકનયની અપેક્ષાએ સ્થાનિત્ય છે. (૨) શું જીવ અનિત્ય છે ? હા. પર્યાયાર્થિકનયની અપેક્ષાએ સ્થાનિત્ય પણ છે. (૩) શું જીવ નિત્ય-અનિત્ય બન્ને છે ? હા- કમશ: બન્ને નયો લગાડતાં આ જીવ સ્વામિત્વ પાગ છે અને સ્થાનિય પણ છે. (૪) બન્ને હોવાથી શું સાથે બોલી શકાય છે ? ના - એકી સાથે એક જ શબ્દથી બન્ને ધ સાથે બોલી શકાતા નથી માટે સર્વતન્ય પણ છે. આ પ્રમાણે બાકીના ભાંગાઓ તો માત્ર સંયોગથી સમજી લેવા. એટલે શ્રોતાના મનમાં પ્રશ્નો સાત જ થતા હોવાથી તેના ઉત્તર રૂપે આ ભાંગા પાણ સાત જ છે. ૪-૩૯ ત િત ત્યાદુ: – तेषामपि सप्तत्वं सप्तविधतज्जिज्ञासानियमात् ॥४-४०॥ આ બાબતમાં કોઈને એવો પ્રશ્ન થાય કે સાતભાંગાઓનું કારણ શ્રોતાઓને પ્રો સાત જ ઉઠે છે એમ તમે જે કહો છો ત્યાં અમને પ્રશ્ન થાય છે કે અતપિ શ્રોતાઓના આ પ્રશ્રો પાગ સાત જ થાય એમ કેમ ? તેનો ઉત્તર આ સૂત્રમાં આપે છે કે – તેષામપિ = શ્રોતાઓના તે પ્રશ્નોનું પણ જે સમવિધત્વ છે તેનું કારણ એ છે કે શ્રોતાઓના હૃદયમાં તે જાણવાની જિજ્ઞાસા પણ સાત જ પ્રકારની ઉઠે છે. એવો નિયમ છે.u૪-૪૦મા સાત પ્રકારની જિજ્ઞાસા ઉઠે છે તેથી સાત પ્રશ્નો પુછે છે અને તેના સાત ઉત્તરો મળતાં શ્રોતાઓનાં હૈયાં શાન્ત થઈ જાય છે. જિજ્ઞાસા સંતોષાઈ જાય છે. આ પ્રમાણે જિજ્ઞાસાના સમવિધત્વના નિયમથી પ્રશ્નોનું સમવિધત્વ છે અને પ્રશ્નોના સવિધત્વના નિયમથી ઉત્તર રૂપે ભાંગાઓનું પણ સમવિધત્વ જ છે. ૪-૪૦ના अथ सप्तविधतज्जिज्ञासानियमे निमित्तमाहुः - तस्या अपि सप्तविधत्वं सप्तधैव तत्सन्देहसमुत्पादात् ॥४-४१॥ टीका - तस्या अपि इति प्रतिपाद्यजिज्ञासायाः तत्सन्देहसमुत्पादादिति प्रतिपाद्यसंशयसमुत्पत्तेः II૪-કશા હવે અહીં કોઈને એવી શંકા થાય કે શ્રોતાઓના હૃદયમાં તે જિજ્ઞાસા પાણ સાત જ પ્રકારની ઉઠે છે. તેનું કારણ શું છે ? તેનો ઉત્તર આ સૂત્રમાં ગુરૂજી આપે છે કે - તથા ગપ = તે જિજ્ઞાસાઓનું પણ સવિધત્વ એટલા માટે છે કે તે શ્રોતાઓના હૃદયમાં સાત પ્રકારના જ સંદેહો (શંકાઓ) ઉત્પન્ન થાય છે. ૧૪-૪૧ ટીકાનુવાદ - તસ્યા મા એવું જે મૂલસૂત્રમાં પદ છે તેનો અર્થ શ્રોતાઓની તે જિજ્ઞાસા પાગ સહવિધ છે એમ કરવો. અને તત્સમુદ્ધિાત્ નો અર્થ શ્રોતાના હૃદયમાં સંદેહની ઉત્પત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy