SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૨ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૩૮/ ૩૯૪૦/૪૧ विधिनिषेधप्रकारापेक्षया प्रतिपर्यायं वस्तुन्यनन्तानामपि सप्तभङ्गीनामेव સમવત્િ ૧૪/૩૮ના ટીકા - મિશ્રિત્ય વનિ વિધિનિષેધવિત્પમ્મિાં વ્યસ્ત સમતાભ્યાં સક્ષેત્ર માં સમન્તિ, न पुनरनन्ताः । तत्कथमनन्तभङ्गीप्रसङ्गादसङ्गतत्वं सप्तभङग्याः समुद्भाव्यते ॥४-३७/३८॥ જીવ - અજીવ આદિ એકેક પદાર્થમાં વિધાન કરાતા અને નિષેધ કરાતા એવા અનાધમોં જૈનોએ અંગીકાર કરેલા હોવાથી તે અનંત ધમોને કહેનારા વચનમાગ પણ (શબ્દો પાણ) સ્યાદ્વાદિઓને (જૈનોને) અનંત જ થશે. કારણકે વાચકની (શબ્દોની) ઈયત્તા (મર્યાદા) વાની (પદાર્થની) ઈયત્તાને (મર્યાદાને) આધીન છે. એટલે કે જેટલા વાગ્યે ધર્મો હોય તેટલા તેના વાચક શબ્દો હોય. તેથી અનંત વચન માગોં થવાથી અનંતભંગી જ થશે, માટે આ “સપ્તભંગી" નું જે કથન છે તે વિરૂદ્ધ જ છે અર્થાત્ ન્યાયસંગત નથી. આવું બોલતા વાદીને દૂર કરવા માટે ગુરૂજી જણાવે છે કે – એક વસ્તુમાં વિધાન કરાતા અને નિષેધ કરાતા એવા અનંત ધર્મો (જેનોએ) સ્વીકારેલા હોવાથી “અનંતભંગી"નો પ્રસંગ આવશે માટે આ કહેલી સપ્તભંગી અસંગત જ છે આવું મનમાં વિચારવું નહીં, મનમાં આવો વિચાર લાવવો પણ નહીં. તેનું કારણ એ છે કે – એકેક પર્યાય (ધર્મ)ને આશ્રયી વિધાન અને નિષેધના પ્રકારની અપેક્ષાએ અમે ઉપર જણાવી ગયા તેમ વસ્તુમાં અનંતી પણ સમભંગીઓ જ સંભવે છે. ૪-૩૭/૩૮ ટીકાનુવાદ - એકેક વસ્તુમાં અનંત પર્યાયો (અનંત ધમ) અવશ્ય છે જ. તેમાંના એકેક પર્યાયને આશ્રયી વિધિ અને નિષેધના ઉપર જણાવ્યા પ્રમાણે પ્રથમ વ્યસ્ત છુટા-છુટા એકેક) અને પછી સમસ્ત (બન્ને સાથે) વિકલ્પો પાડવા દ્વારા સાત જ ભાંગા સંભવે છે, પરંતુ અનંતા ભાંગાઓ સંભવતા નથી. કહેવાનો આશય એ છે કે પરસ્પર વિરોધી બે બે ધર્મોનાં અનંત જેડકાં છે તેમાંના એકેક જોડકાને આશ્રયી વિધિ-નિષેધના વિકલ્પની અપેક્ષાએ સાતભાંગા જ (સપ્તભંગી જ) થાય છે. જેમ કે નિત્યાનિત્ય, ભિન્નભિન્ન, સામાન્યવિશેષ, એવાં પરસ્પર વિરોધી ધર્મોનાં જોડકાં અનંત હોવાથી સપ્તભંગીઓ અનંતી થાય છે પરંતુ અનંતભંગી કે અનંતભંગીઓ થતી નથી. તેથી અનંતભંગી થઈ જવાનો પ્રસંગ જ નથી તો સભંગીનું અસંગતપણું કેમ કહેવાય ? અર્થાત્ સભંગીનું અસંગતપણું કહેવું ઉચિત નથી. ૪-૩૭/૩૮u कुतः सप्तैव भङ्गाः सम्भवन्तीत्याहुः - प्रतिपर्यायं प्रतिपाद्यपर्यनुयोगानां सप्तानामेव सम्भवात् ॥४-३९॥ સાતિ, સામાપ્તિ ઈત્યાદિ ભાંગાઓ સાત જ કેમ થાય છે ? તેનું કારણ સમજાવે છે કે પ્રત્યેક પર્યાયની અપેક્ષાએ પ્રતિપાર્ચ = શ્રોતાઓના ર્થનુયોગ = પ્રશ્નો સાત જ સંભવે છે માટે ભાગા સાત જ થાય છે. ૪-૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy