SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૨૨/૨૩/૨૪/૨૫/૨૬ ૪૬ સર્વથા નાસ્તિ જ છે એમ માનનારા હોવાથી તેના નિરસન માટે સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ ‘“સ્યાદસ્તિ’’ એવો પ્રથમભાંગો કહ્યો છે. તથા સર્વથા અદ્વૈતવાદી મીમાંસકો “સર્વ વસ્તુઓ સત્ રૂપે એક જ છે.' એમ માને છે તેઓ સર્વથા અસ્તિવાદી જ છે. તેના નિરસન માટે પર દ્રવ્યાદિની અપેક્ષાએ ‘સ્યાન્નાસ્તિ” એવો બીજો ભાંગો છે. એ જ રીતે સર્વ વસ્તુ પ્રતિક્ષણે ક્ષણિકમાત્ર જ છે એમ માનનારા બૌદ્ધોના નિરસન માટે “સ્યાન્નિત્ય’' સ્વરૂપ સમજાવેલ છે. તથા આત્માદિ પદાર્થો સર્વથા નિત્ય જ છે એમ માનનારા સાંખ્ય-નૈયાયિક અને વૈશેષિકોના નિરસન માટે “સ્થાનિત્ય” સ્વરૂપ સમજાવેલ છે. આ રીતે અન્ય સર્વદર્શનો એકાંતવાદી છે અને જૈનદર્શન જ માત્ર અનેકાન્તવાદી અને યથાર્થવાદી છે. 118-2911 अथास्यामेव सप्तभङ्गयामेकान्तविकल्पान्निराचिकीर्षवः सूत्राण्याहुः - - विधिप्रधान एव ध्वनिरिति न साधु ॥४-२२॥ निषेधस्य तस्मादप्रतिपत्तिप्रसक्तेः ॥४-२३॥ હવે આજ સમભંગીમાં એકાન્તમતના જે જે વિકલ્પો છે તે તે વિકલ્પોને દૂર કરવાની ઈચ્છાવાળા ગ્રંથકારશ્રી તે સંબંધી સૂત્રો જણાવે છે ધ્વનિ - (શબ્દ) વિધિપ્રધાન જ છે માત્ર અસ્તિત્વવાચી જ છે એવું માનવું સારૂં નથી. તેનું કારણ પણ જણાવે છે કે જો શબ્દ વિધિ જ જણાવતો હોય તો તે શબ્દથી નિષેધ ન જ જણાવવાનો પ્રસંગ આવે. “આ ઘટ છે” એમ કહેવાથી જો શબ્દ ઘટનું વિધાન જ કરતો હોય તો તેનાથી આ ઘટ છે. પણ પટ નથી એમ નિષેધ જે સમજાય છે તે ન સમજાવો જોઈએ. ૫૪-૨૨/૨૩૫ ટીકા- પ્રાધાન્યન વિધિમેત્ર રાજ્યોઽમિયત્તે રૂતિ ન યુક્તમ્ । તસ્માહિતિ રાન્દ્રાત્ ॥૪-૨૨/૨૩॥ ટીકાનુવાદ શબ્દ સદાકાળ વિધિ જ (અસ્તિત્વને જ) જણાવે છે આ વાત ઉચિત નથી. કારણ કે જો એમ જ હોય તો તસ્માત્ = તે શબ્દથી નિષેધ ન જ સમજાવો જોઈએ. પરંતુ જેમ વિધિ સમજાય છે તેમ નિષેધ પણ સમજાય જ છે. કારણ કે “આ ઘટ છે” એમ વાકય બોલતાં જેમ આ ઘટ છે. એમ તે વાકય અસ્તિ જણાવે છે. તેમ તે જ વાક્ય આ ઘટ એ પટ નથી એમ નિષેધને પણ જણાવે જ છે. માટે શબ્દ એ વિધિ જ જણાવે છે આ વાત વ્યાજબી નથી. ૪-૨૨/૨૩ - आशङ्कान्तरं निरस्यन्ति Jain Education International अप्राधान्येनैव ध्वनिस्तमभिधत्ते इत्यप्यसारम् ॥४-२४॥ अत्र हेतुमाचक्ष — For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy