SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૩ શબ્દને આકાશગુણ માનનાર નૈયાયિકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા ધૂમ ની સાથે વ્યભિચારી છે. કારણ કે તે સૂક્ષ્મરજ અથવા ધૂમ નાપ્તિ નિવેશમાનં = નાકમાં પ્રવેશનિર્ગમન કરે છતાં પણ તદ્વિવરદ્વાર નાકના છિદ્રવાળા કારના પ્રદેશમાં મિત્ર ઉગેલા રમY = વાળના પ્રેરક (વાળને ચલાયમાન કરતા) 7 ૢિ વ્રેક્ષ્યતે = દેખાતા નથી. સૂક્ષ્મરજ અને ધૂમ નાકમાં આવ જા કરે છતાં નાકના દ્વારભાગે ઉગેલા વાળ ચલિત થતા જણાતા નથી. છતાં ગંધવાળાં દ્રવ્યો અને ધૂમ અપૌલિક નથી. પરંતુ છે તો પૌલિક જ. તેમ આ શબ્દ પણ અપ્રેરક હોવા છતાં પણ અપૌદ્ગલિક નથી. પરંતુ પૌલિક જ છે. સૂક્ષ્મ એવા મૂર્ત દ્રવ્યાન્તરનું અપ્રેરકપણું આ હેતુ સાધ્યાભાવ એવા (એટલે પૌદ્ગલિક એવા) સૂક્ષ્મરજ અને ધૂમાદિમાં વર્તે છે. માટે હેતુ સાધ્યાભાવવવૃત્તિ થવાથી અનૈકાન્તિક થાય છે. હવે જો ‘નમુખત્વ’’ આ પાંચમો હેતુ કહો તો તે હેતુ શબ્દ નામના પક્ષમાં અવૃત્તિ હોવાથી અસિદ્ધ હેત્વાભાસ થાય છે તે આ પ્રમાણે શબ્દ એ (પક્ષ), ગગનગુણ નથી (સાધ્ય), કારણ કે છદ્મસ્થ એવા અમારા ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષનો વિષય હોવાથી (હેતુ), રૂપ-રસ-ગંધ-સ્પર્શની જેમ (ઉદાહરણ), જે જે છદ્મસ્થના ઈન્દ્રિય જન્ય પ્રત્યક્ષનો વિષય હોય છે તે તે અરૂપી એવા આકાશાદિના ગુણો હોતા નથી. જેમ કે રૂપાદિ, શબ્દ પણ શ્રોત્રેન્દ્રિયજન્ય પ્રત્યક્ષનો વિષય છે માટે અરૂપી દ્રવ્યનો ગુણ નથી. આ રીતે ગગનગુણત્વ હેતુ પક્ષવૃત્તિ ન હોવાથી અસિદ્ધહેત્વાભાસ થાય છે. આ પ્રમાણે શબ્દને ‘“અપૌદ્ગલિક’” સિદ્ધ કરવા માટે તમે કહેલા પાંચે હેતુઓ હેત્વાભાસ હોવાથી શબ્દ અપૌદ્ગલિક સિદ્ધ થતો નથી. માટે નક્કી પૌદ્ગલિક છે. આ પ્રમાણે ટીકાકારશ્રી નૈયાયિકોનું ખંડન કરીને હવે જૈનદર્શનનું મંડન કરે છે કે શબ્દને પૌદ્ગલિક સિદ્ધ કરવા સારૂ અમારી પાસે નિર્દોષ અનુમાન પણ છે. તે આ પ્રમાણે - શબ્દ એ (પક્ષ), પૌદ્ગલિક છે (સાધ્ય), ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષનો વિષય હોવાથી (હેતુ), રૂપરસાદિની જેમ જ (ઉદાહરણ), જે જે ઈન્દ્રિયજન્યપ્રત્યક્ષના વિષયો હોય છે તે તે પૌલિક જ હોય છે જેમ કે રૂપ-રસ-ગંધ-સ્પર્શ આદિ ગુણો. આ ગુણો જેમ પૌલિક છે. તેમ આ શબ્દ પણ શ્રોત્રઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષનો વિષય હોવાથી પૌદ્ગલિક જ છે. માટે શબ્દ એ ભાષાવર્ગણાના પુદ્ગલોનો બનેલો છે એમ સિદ્ધ થયું. ૫૪-૮૫ पदवाक्ये व्याकुर्वन्ति - वर्णानामन्योन्यापेक्षाणां निरपेक्षा संहतिः पदम् पदानां तु वाक्यम् ॥४- १०॥ હવે પદ અને વાક્ય કોને કહેવાય ? તે સમજાવે છે - પરસ્પર અપેક્ષાવાળા એવા વર્ણોનો (અન્ય પદવર્તી વર્ણોની સાથે) નિરપેક્ષ એવો સમુહ તે પદ કહેવાય છે. તેવી જ રીતે પરસ્પર અપેક્ષાવાળા પદોનો (વાક્યાન્તરવર્તી પદોની સાથે) નિરપેક્ષ એવો જે સમુહ તે વાક્ય કહેવાય છે. ૫૪-૧૦ ટીકા - વાઁ ૨ બશ્રિત્યેોષાત્, બ્રહ્મસોયને‘‘’’ ત્યારો કયો:, ગૌરિત્યારો વહૂનાં ૨ વળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy