SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૯ ૫૭૨ તેમાં સૂક્ષ્મ છિદ્રો સંભવે છે તેથી અતિગાઢ નિબિડપણું નથી. માટે ગંધવાળા દ્રવ્યો અંદર પ્રવેશ કરે છે અને બહાર નીકળે છે. કસ્તુરિકા આદિ છે પૌદ્ગલિક જ, પરંતુ છિદ્ર હોય ત્યાં જ ગમનાગમન કરે છે. અત વ = આ જ કારણથી કપાટસંપુટ બંધ હોય ત્યાં તે ગંધ (અને ગંધવાળા અણુઓ) અલ્પ જ જણાય છે. પરંતુ ન તુ ઞપાવૃત ખુલ્લા બારણાં વાળી દશાની જેમ ગંધનો (ગંધવાળા અણુઓનો) એક મહાસાગર થતો અનુભવાતો નથી. અને જ્યાં સર્વથા છિદ્રવિનાનાં જ બારણાં હોય છે. ત્યાં તો તેવા પ્રદેશમાં દવાની (પેક શીશીમાં રહેલ દવાની ગંધની જેમ) ગંધ કે ગંધવાળા અણુઓનો નૈતો સમ્ભવતઃ = આ પ્રદેશ-નિર્ગમ સંભવતા નથી. માટે છિદ્ર વિનાનાં કપાટ સંપુટમાં પ્રવેશ-નિર્ગમ નથી, અલ્પછિદ્રવાળામાં અલ્પ પ્રવેશ-નિર્ગમ છે. અને તદ્દન ખુલ્લા બારણાવાળામાં ઉત્કટ પ્રવેશ નિર્ગમ છે તેથી જણાય છે કે તે કસ્તુરિકા આદિની સુગંધવાળા અણુઓ તો નક્કી પૌદ્ગલિક જ છે. જૈન :- एवं तर्हि शब्देऽपि શબ્દમાં પણ આ સર્વ હકીકતની યોગક્ષેમતા તુલ્ય જ હોવાથી તમારો હેતુ અસિદ્ધ હેત્વાભાસ બને જ છે. શબ્દમાં પણ છિદ્ર વિનાના પ્રદેશમાં પ્રવેશ-નિર્ગમ હોતા નથી (જેમ મોટરની અંદર બેઠેલો માનવી બધા જ કાચ બંધ હોય ત્યારે બહાર ઉભેલા માણસ સાથે વાત-ચીત કરે ત્યારે કોઈ કોઈનો શબ્દ સાંભળી શકતા નથી). અલ્પ છિદ્રવાળા પ્રદેશમાં શબ્દનું અલ્પ પ્રવેશ-નિર્ગમન થાય છે. અને ખુલ્લા બારણાવાળા પ્રદેશમાં ઉત્કટ પણે શબ્દનું પ્રવેશ-નિર્ગમન થાય છે. માટે “અતિનિબિડમાં પ્રવેશ-નિર્ગમનનો અપ્રતિઘાત'' આ હેતુ શબ્દપક્ષમાં વર્તતો નથી. કારણકે શબ્દ પરાઘાત પામે છે. એટલે હેતુ પક્ષમાં અવૃત્તિ થવાથી અસિદ્ધ હેત્વાભાસ થાય છે. = = શબ્દનું અપૌદ્ગલિકત્વ સાધવા માટે તમારા કહેલા હેતુઓમાંથી પહેલો અને બીજો હેતુ દોષિત થવાથી હવે ‘‘પૂર્વે પશ્ચાચાવવવાનુપઋદ્ધિઃ'' આ ત્રીજો હેતુ જો તમે કહો તો તે ત્રીજો હેતુ વીજળીના ચમકારા અને ઉલ્કાપાત આદિની સાથે અનૈકાન્તિક (સવ્યભિચાર) હેત્વાભાસતાને પામે છે. તે આ પ્રમાણે - વીજળી-ઉલ્કાપાત અને આદિ શબ્દથી સૂર્ય-ચંદ્ર-દીપક આદિના પ્રકાશો આ બધી જ વસ્તુ તમારા મતે પણ ‘“પૌદ્ગલિક જ'' છે. એટલે કે અપૌદ્ગલિક નથી તેથી સાધ્યાભાવ રૂપ છે. છતાં સર્વમાં આગળ-પાછળ ક્યાંય પણ અવયવોની ઉપલબ્ધિ નથી. પરંતુ અનુપલબ્ધિ જ છે. માટે હેતુ સાધ્યાભાવવવૃત્તિ થવાથી અનૈકાન્તિક છે. Jain Education International તમારા ત્રણ હેતુઓ દોષિત થવાથી હવે જો ‘સૂક્ષ્મમૂર્તદ્રવ્યાન્તાપ્રેરત્વમ્'' આવા પ્રકારનો ચોથો હેતુ કહો તો તે હેતુ પણ સૂગંધવાળા દ્રવ્યવિશેષની સૂક્ષ્મરજની સાથે અને ધૂમાદિની સાથે વ્યભિચારી બને છે. તમારો કહેવાનો આશય એવો છે કે વક્તા વડે બોલાતો શબ્દ કર્ણાદિમાં પ્રવેશનિર્ગમન કરતાં જો પૌદ્ગલિક હોય તો કર્ણાદિભાગમાં ઉગેલા સૂક્ષ્મ અને મૂર્ત (રૂપી) એવા વાળ આદિ અન્યદ્રવ્યોને પ્રેરક (હલાવનાર) બનવો જોઈએ, પરંતુ શબ્દો વાળને ચલિત કરનાર બનતા નથી એટલે અપ્રેરક છે માટે અપૌદ્ગલિક છે. પરંતુ આ વાત સુગંધીદ્રવ્યની સૂક્ષ્મ રજ અથવા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy