SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૨ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૮-૯ થર, પર, મેરુ, મારી, નJી, સ્પાપુરી ઈત્યાદિ. (૩) પરસ્પર સાપેક્ષ પદોનો સમુહ તે વાકય કહેવાય, તેને પણ વચન કહેવાય છે જેમ કે ત્ર છે, મદું માનવામિ ઈત્યાદિ. (૪) પરસ્પર સાપેક્ષ વાકયોનો સમુહ તે પ્રકરણ કહેવાય છે. તેને પણ વચન કહેવાય છે. જેમ કે સ્મૃતિપ્રમાણપ્રકરણ, પ્રત્યભિજ્ઞા પ્રમાણપ્રકરણ, તર્કપ્રમાણપ્રકરણ. (૫) નાના અનેક પ્રકરણોનો સમુહ તે પરિચ્છેદ-અધ્યાય વિગેરે કહેવાય છે. તેને પણ વચન કહેવાય છે. જેમ કે આ ગ્રન્થના પરિચ્છેદો, અથવા તત્ત્વાર્થસૂત્રના અધ્યાયો. ૪-૮ तत्र वर्ण वर्णयन्ति - अकारादिः पौद्गलिको वर्णः ॥४-९॥ ત્યાં પ્રથમ વર્ણ કોને કહેવાય ? તે સમજાવે છે. અકાર-ઈકાર-ઉકાર વિગેરે વર્ણ-અક્ષર કહેવાય છે અને તે ભાષા વર્ગણાના પુલોના બનેલા છે. ઉચ્ચારણ રૂપે બોલાતા વર્ગો તે ભાષાવર્ગના પુદ્ગલમય છે. ૪-૯ ટીકા - પુણાગાપનમામિનારઃ પૌકિક સત્ર વારિશા પ્રજ્ઞાપત્તિ- વચાનિત્યत्वमेव तावद् दुरुपपादम् कुतस्तरां पुद्गलारब्धत्वमस्य स्यात् ? तथाहि - स एवायं गकार इति प्रत्यभिज्ञा, शन्दो नित्यः श्रावणत्वाच्छन्दत्ववदित्यनुमानम्, शब्दो नित्यः, परार्थं तदुचारणान्यथानुपपत्तेरित्यापत्तिति प्रमाणानि दिनकरकरनिकरनिरन्तरपसरपरामर्शोपजातजृम्भाऽऽरम्भाऽम्भोजानीव मनःप्रसादमस्य नित्यत्वमेव પોતાન્તિા ટીકાનુવાદ - પુલો વડે એટલે ભાષાવર્ગણાના પરમાણુઓના સ્કંધો વડે બનેલો જે શબ્દ તે પૌલિક કહેવાય છે. ઉચ્ચારણ કરાતા સર્વ શબ્દો ભાષાવર્ગણાના પુદ્ગલો વડે બનેલા છે. તેથી તે શબ્દોને પૌદ્ગલિક કહેવાય છે. પરંતુ શબ્દ આકાશનો ગુણ છે. કે શબ્દ નિત્ય છે ઈત્યાદિ અન્ય દર્શનકારોની વાત યુક્તિસંગત નથી. એમ ગ્રંથકારનો આશય છે. એટલે કે મૂલ સૂત્રમાં ગ્રંથકારશ્રીએ મુકેલો આ પૌરાત્રિ શબ્દ પરદર્શનોના પરાભવ માટે છે. અહીં યાજ્ઞિકો (મીમાંસકો) કહે છે કે - વાણનું (શબ્દોનું) અનિત્યપાણું જ પ્રથમ તો દુર્ધટ છે. તો પછી ૩૭ - આ વણનું પુદ્ગલજન્યત્વ તો સંભવે જ કેવી રીતે ? અર્થાત્ જે અનાદિ છે. નિત્ય છે. સદા છે જ, જેનો જન્મ જ નથી તે શબ્દોનું પ્રથમ તો અનિત્યપણું જ સિદ્ધ થતું નથી તો પછી તે શબ્દ પુદ્ગલોથી બનેલો છે એમ કેમ કહેવાય ? વાણના નિત્યત્વને સાધનારાં પ્રમાણો અમારી પાસે આ પ્રમાણે છે - (૧) પ્રત્યભિક્ષા પ્રમાણ - "તે જ આ ગકાર છે” જે પહેલાં મારા વડે બોલાયો હતો. હવે જો વણો નિત્ય ન હોત તો એકવાર બોલાયા પછી જ્યારે બીજીવાર તે વર્ણ બોલાય ત્યારે પ્રથમવખતનો બોલાયેલો ગકાર સર્વથા નષ્ટ થઈ ચુકેલો હોવાથી તે જ આ ગકાર છે.” એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy