SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૩ શ્રુતિ અપૌરુષેય છે એમ માનનાર મીમાંસકની સાથે ચર્ચા રત્નાકરાવતારિકા તેની જેમ અહીં પણ અપૌરુષેય એવી કૃતિઓમાંથી પણ ભાષાત્મક એવું વાકય પ્રગટ થાય છે એમ સંભાવના કરી શકત. ન વૈવમ્ = પરંતુ એમ તો છે જ નહીં, અપૌરુષેય એવા શંખાદિમાંથી કદાપિ ભાષાત્મક વાક્ય પ્રગટ થતું જ નથી. તેથી જે કૃતિઓ અપૌરુષેય હોય તો તેમાંથી પાણ ભાષાત્મક વાક્ય કેમ સંભવે ? માટે શ્રુતિઓ પૌરૂષય જ છે. મીમાંસક - મા વાત્મ7માત્ર = હે જૈનો ! અમારા અનુમાનને તોડવા તમે જે અનુમાન કર્યું છે. “શ્રુતિઃ, પૌરુષેયી, વાત્મત્વ, કુમારસમરિવતું, આ અનુમાનમાં તમે કહેલ “વારિમાત્મhત્વ'' હેતુ કેવો કહો છો ? શું સામાન્યથી વર્ણાઘાત્મકત્વ માત્ર જ એટલા અર્થવાળો આ હેતુ છે ? કે લૌકિક શ્લોકાદિથી વિલક્ષણ એવું વિશિષ્ટ વાર્ણાઘાત્મકત્વ એવા અર્થવાળો આ હેતુ છે ? આ બે પક્ષમાંથી જો પ્રથમપક્ષ કહો તો એટલે કે સામાન્યથી વર્ણાદિઆત્મકતા માત્ર જ કહેતા હો તો તમારો તે હેતુ અપ્રયોજક છે સાધ્ય સાધવામાં અસમર્થ છે. કારણ કે સાધ્યાભાવમાં પણ વર્તતો હોવાથી વ્યભિચારી છે માટે અપ્રયોજક છે. કોની જેમ ? તો વાલ્મીક (રાફડા)નું કુલાલપૂર્વકત્વ સાધ્ય સાધવામાં મૃર્વિકારત્વ હેતુ જેમ અપ્રયોજક છે તેની જેમ. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે – એ વર્મી: સ્ત્રીજીપૂર્વક કૃવિરત્વીત્ ઘવતું આ અનુમાન ઉપર-ઉપરથી જોતાં બરાબર લાગે છે પરંતુ હેતુ વ્યભિચારી હોવાથી સાધ્ય સાધવામાં અપ્રયોજક છે. કારણ કે જે કુંભારકર્તા વાળું નથી હોતું તે પણ મુવિકારરૂપ હોય છે. જેમ કે તળાવની સુકાયેલી માટીમાં, પત્થરોના લીલાપણામાં, પર્વતોની ભેખડોમાં મૃર્વિકારત્વ હેતુ છે પરંતુ કુલાલપૂર્વકત્વ સાધ્ય નથી. માટે હેતુ સાધ્યા-ભાવવર્તી હોવાથી વ્યભિચારી છે અને તેથી જ અપ્રયોજક છે. તેવી રીતે પૌરુષેય જે ન હોય તે પણ વર્ણાઘાત્મક હોઈ શકે છે. જેમ કે આ વેદો પૌરુષેય ન હોવા છતાં વાર્તાઘાત્મક છે. તેથી હેતુ સાધ્યાભાવવૃત્તિ હોવાથી વ્યભિચારી અને અપ્રયોજક છે. - હવે જૈનો ! જો તમે બીજે પક્ષ કહેશો તો, એટલે કે લોકો સમજી શકે તેવા શ્લોકોથી વિલક્ષણ, અર્થાત્ લોકભોગ્ય ન હોય તેવા વિશિષ્ટ શ્લોકાદિરૂપ વર્ષાઘાત્મકત્વ હેતુ જો કહેતા હો તો, અર્થાત આ શ્રુતિઓ લોકો વડે ન સમજી શકાય તેવા શ્લોકો રૂ૫ વર્ણોધાત્મક છે માટે પૌરુષેય છે એમ જો તમે (જૈનો) કહેતા હો તો તમારો આ હેતુ વિરૂદ્ધ હેત્વાભાસ બને છે અને કુમારસંભવાદિનું ઉદાહરણ હેતુશૂન્ય બને છે એમ બે દોષો હે જૈનો ! તમને આવે છે તે આ પ્રમાણે – લોકો ને સમજી શકે તેવા વિશિષ્ટ વર્ણાદિવાળ, પાણું તો પુરૂષે બનાવેલામાં હોય જ નહીં, જે પૌરુષેય હોય તે લોકભોગ્ય જ હોય, અને જે લોકભોગ્ય ન હોય તે પૌરુષેય પણ ન જ હોય પરંતુ અપૌરૂષય જ હોય છે. તેથી આવો વિશિષ્ટવર્ષાઘાત્મકત્વ રૂપ તમારો હેતુ અપૌરૂષય રૂપ સાધ્યાભાવમાં જ વર્તતો હોવાથી વિરૂદ્ધ હેત્વાભાસ થાય છે. તથા કુમારસંભવનું ઉદાહરણ અન્વયવ્યાપ્તિનું હોવાથી જ્યાં જ્યાં ધૂમ હોય છે ત્યાં ત્યાં વહ્નિ હોય છે જેમ કે મહાનસ, એની જેમ ઉદાહરણમાં સાધ્ય અને સાધનનું હંમેશાં અસ્તિત્વ જ હોવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy