SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૮૮/૮૯|૯૦ રત્નાકરાવતારિકા અનુક્રમે આ છ વિરૂદ્ધોપલબ્ધિનાં ઉદાહરણો કહે છે તેમાં પ્રથમ વિરૂદ્ધવ્યામોપલબ્ધિ આ પ્રમાણે છે ૪૮૯ - “આ પુરૂષને, તત્ત્વનિશ્ચય નથી, કારણ કે તત્ત્વમાં સંદેહ દેખાતો હોવાથી.” ૫૩-૮૭ણા ટીકા :- અત્ર નીત્રાવિતત્ત્વોષો નિશ્ચયઃ પ્રતિષેષ્યઃ । તનિ་નિશ્ચયઃ । તેન વ્યાપ્તસ્ય સન્દેહસ્યોપહન્મિ: ।૩-૮૭ના : ટીકાનુવાદ અહીં જીવ-અજીવ આદિ તત્ત્વના વિષય વાળો જે નિશ્ચય તે પ્રતિષેધ્ય છે. અને પ્રતિષેધ્ય એવા તે નિશ્ચયથી વિરૂદ્ધ એવો જે અનિશ્ચય, તેની સાથે વ્યાપ્ત એવો જે સંદેહ, તે સંદેહ આ પુરૂષમાં દેખાય છે. અનિશ્ચયની સાથે સંદેહ વ્યાપીને રહેનાર છે. તેથી જ્યાં જ્યાં સંદેહ હોય ત્યાં ત્યાં અનિશ્ચય હોય જ, તેથી નિશ્ચય નથી એમ નક્કી થાય છે. આ રીતે નિશ્ચયનો નિષેધ સાધવામાં પ્રતિષેધ્ય એવા નિશ્ચયથી વિરૂદ્ધ અનિશ્ચયના વ્યાપ્ય એવા સંદેહની ઉપલબ્ધિ એ જ હેતુ બને છે. આ પ્રતિષેધ્ય એવા સાધ્યની વિરૂદ્ધ વ્યાપ્ય ઉપલબ્ધિ કહેવાય છે. ૩-૮૭ાા बिरुद्धकार्योपलब्धिर्यथा- न विद्यतेऽस्य क्रोधाद्युपशान्तिर्वदनविकारादेः (વર્ણનાત્) ૫૩-૮૮ વિરૂદ્ધ કાર્યોપલબ્ધિનું ઉદાહરણ આ પ્રમાણે છે. આ પુરૂષને (પક્ષ), ક્રોધાદિ કષાયોની ઉપશાન્તિ નથી (સાધ્ય), કારણ કે મુખ ઉપર વિકારાદિ દેખાય છે (હેતુ) આ વિશ્ર્વકાર્યોપલબ્ધિ સમજવી. ૫૩-૮૮૫ ટીકા :- વનવિશાસ્તાપ્રતાવિ, ગાવિરાજ્ાવધાવિપરિભ્રહઃ । બત્ર જ પ્રતિષેષ્યઃ ઋોષાયુપशमः । तद्विरुद्धस्तदनुपशमः तत्कार्यस्य बदनविकारादेरुपलब्धिः ।। ३-८८।। ટીકાનુવાદ :- વદનવિકાર એટલે મુખ લાલચોળ થઈ જવું તે. મુખ તપી જવું. ઈત્યાદિ. અહીં જે આદિ શબ્દ છે. તેનાથી હોઠનું ફફડવું એટલે હોઠનું બબડવું. આંખ વાંકી થવી, આંખ લાલધૂમ થવી ઈત્યાદિ સમજી લેવું. આ અનુમાનમાં પ્રતિષેધ્ય એવું જે સાધ્ય છે તે ક્રોધાદિ કષાયોનો ઉપશમ છે. તેનાથી વિરૂદ્ધ એટલે કષાયોનો અનુપશમ, તે અનુપશમનું જે કાર્ય તે વદનવિકારાદિ, તેની અહીં ઉપલબ્ધિ છે. માટે આ અનુમાન વિરૂદ્ધકાર્યોપલબ્ધિનું સમજવું. ।।૩-૮૮॥ विरुद्धकारणोपलब्धिर्यथा नास्य महर्षेरसत्यं वचः समस्ति, . रागद्वेषकालुष्याsकलङ्गितज्ञानसंपन्नत्वात् ॥ ३-८९ ॥ વિરૂદ્ધકારણોપલબ્ધિનું ઉદાહરણ આ પ્રમાણે છે - આ મહર્ષિનું વચન (પક્ષ), અસત્ય નથી (સાધ્ય), કારણ કે રાગ અને દ્વેષ સ્વરૂપ કલુષિતતાથી અકલંકિત શાન સંયુક્ત હોવાથી. ।।૩-૮૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy