SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા પ્રવ્વસાભાવ અને ઈતરેતરાભાવનું વર્ણન ૪૬૦ શબ્દ પ્રયોગ કર્યો છે, એટલે કે અવશ્ય વિનાશ થતો હોય તો જ તે પદાર્થ પૂર્વકાર્યનો પ્રáસાભાવ કહેવાય છે. તથા વળી અહીં એક સૂક્ષ્મ વાત એ જાણવા જેવી છે કે જૈન દર્શનકાર પદાર્થને જ સદંશરૂપ અને અસદંશરૂપ માને છે, તેથી મૃપિંડાત્મક જે પદાર્થ છે તે જ ઘટનો પ્રાગભાવ છે અને કપાલાત્મક જે પદાર્થ છે તે જ ઘટનો પ્રāસાભાવ છે, એમ મૃપિંડ પોતે જ મૃપિંડ રૂપે સદંશ હોવા છતાં ઘટરૂપે અસદંશ છે અને કપાલ પોતે જ કપાલ રૂપે સદંશ હોવા છતાં ઘટરૂપે અસદંશ છે. જે વસ્તુ સ્વની અપેક્ષાએ સત્ હોય છે. તે જ વસ્તુ પરદ્રવ્ય રૂપે અસત્ કહેવાય છે. તર્કસંગ્રહકારાદિ તૈયાયિકો અને વૈશેષિકો અભાવ” નામનો સ્વતંત્ર એક પદાર્થ કલ્પ છે. અને પૂર્વકાલીન મૃપિંડમાં સ્વરૂપસંબંધથી ઘટનો પ્રાગભાવ વર્તે છે એમ માને છે એટલે મૃપિંડ એ આધાર છે અને ઘટપ્રાગભાવ એ આધેય છે સ્વતંત્ર અલગ પદાર્થ છે એમ માને છે. એવી જ રીતે પશ્ચાત્કાલવર્તી કપાલમાં ઘટનો પ્રāસાભાવ વર્તે છે એમ માને છે, ત્યાં પણ કપાલ એ આધાર છે અને ઘટપ્રધ્વસાભાવ એ આધેય છે સ્વતંત્ર અલગ પદાર્થ છે એમ માને છે. પરંતુ આ વાત યથાર્થ નથી. “અભાવ” એ કોઈ સ્વતંત્ર પદાર્થ નથી. જે વસ્તુ સ્વદ્રવ્યાદિ રૂપે સત્ છે તે જ વસ્તુ પરવ્યાદિ રૂપે અસત્ છે. ૩-૬ના ઉક્રિાન્તિ - यथा कपालकदम्बकोत्पत्तौ नियमतो विपद्यमानस्य कलशस्य પાશ્વમ્ રૂદ્રા પ્રāસાભાવનું ઉદાહરણ આપે છે - જેમ કપાલનો સમુહ ઉત્પન્ન થયે છતે કલશ (ઘટ) નક્કી વિનાશ પામે જ છે. માટે નકકી વિનાશ પામતા એવા કલશન (ઘટનો) આ કપાલકદંબક પ્રäસાભાવ કહેવાય છે. ૩-૬રા इतरेतराभावं वर्णयन्ति - स्वरूपान्तरात् स्वरूपव्यावृत्तिरितरेतराभावः ॥३-६३॥ હવે ઈતરેતરાભાવ સમજાવે છે કે સ્વરૂપાન્તરથી = બીજાના સ્વરૂપથી પોતાના સ્વરૂપની જે વ્યાવૃત્તિ તે ઈતરેતરાભાવ કહેવાય છે. ટીકા - માવાન્તરે મ પુનઃ સ્વરૂપવ, તામવિપ્રસવ, વ્યાવૃત્તિઃ સ્વામીવિવ્યવછેર રેતરમાવો ચાપોત્રામાં નિયતે ર-રા ટીકાનુવાદ :કોઈ પણ વિવક્ષિત સ્વરૂપનો સ્વભાવાન્તર = બીજા સ્વભાવથી જે ભેદ થવો તે ઈતરેતરાભાવ કહેવાય છે. પરંતુ કોઈ પણ વિવક્ષિત સ્વરૂપનો પોતાના જ સ્વરૂપથી ભેદ થવો તે ઈતરેતરાભાવ કહેવાતો નથી. કારણ કે વિવક્ષિત વસ્તુ જો પોતાના સ્વરૂપથી ભિન્ન લેવા જઈએ તો તે આકાશપુષ્પાદિની જેમ સર્વથા અભાવાત્મક જ થાય. એટલે કોઈ વિવક્ષિત સ્વરૂપ એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy