SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૯ તૃતીયપરિચ્છેદ સૂત્ર-૬૦/૬૧/૬૨/૬૩ પ્રાણીઓમાં તમાવેઽપિ અંધકાર વિદ્યમાન હોવા છતાં પણ તાવાત્ તમારી વાત વ્યભિચાર દોષવાળી છે. આ સૂત્રમાં જે સઃ શબ્દ છે તેનો અર્થ તે પદાર્થ કરવો, અને જે અન્ય શબ્દ છે તેનો અર્થ ઉત્પદ્યમાન કાર્યનો (પ્રાગભાવ કહેવાય છે) એમ અર્થ કરવો, એટલે “જે પદાર્થની નિવૃત્તિ થયે છતે જ જે કાર્ય ઉત્પન્ન થાય તે પદાર્થ તે ઉત્પદ્યમાન કાર્યના પ્રાગભાવ રૂપ કહેવાય છે. ૫૩-૫૯।। अदाहरन्ति - = यथा मृत्पिण्डनिवृत्तावेव समुत्पद्यमानस्य घटस्य मृत्पिण्डः ॥ ३-६० ॥ ઉપરોક્ત પ્રાગભાવનું ઉદાહરણ આપીને ગ્રંથકારશ્રી સમજાવે છે કે “જેમ સૃપિંડની નિવૃત્તિ થઈ હોય તો જ ઘટ ઉત્પન્ન થાય છે તેથી ઉત્પન્ન થતા તે ઘટનો મૃપિંડ એ પ્રાગભાવ કહેવાય છે, જે નૃષિંડ છે તે જ ઘટનો પ્રાગભાવ છે. એમ સમજવું. પરંતુ કૃષિંડમાં પ્રાગભાવ વર્તે છે. એમ ન સમજવું. કારણ કે અભાવ એ સ્વતંત્ર પદાર્થ નથી. સૃષિંડાદિ પદાર્થો જ સ્વદ્રવ્યાદિથી ભાવાત્મક છે અને પરદ્રવ્યાદિની વિવક્ષાથી અભાવાત્મક છે. આ વાત પૂર્વસૂત્રમાં સમજાવાઈ ગઈ છે. I૩-૬ા प्रध्वंसाभावं प्राहुः - यदुत्पत्तौ कार्यस्यावश्यं विपत्तिः, सोऽस्य प्रध्वंसाभावः ॥३-६१॥ Jain Education International - હવે પ્રધ્વંસાભાવ સમજાવે છે કે જે પદાર્થની ઉત્પત્તિમાં પૂર્વે ઉત્પન્ન થયેલા કાર્યનો અવશ્ય વિનાશ જ થાય તે પદાર્થ આ કાર્યનો પ્રöસાભાવ કહેવાય છે. ।।૩-૬૧૫ ટીકા :- યસ્થ પવાર્થસ્ય ઉત્પત્તી સત્યાં પ્રભુત્ત્પન્નાર્થસ્યાત્રયં નિયમેન, અન્યયાઽતિપ્રસન્નાત્ વિપત્તિવિપટનમ્, सोऽस्य कार्यस्य प्रध्वंसाभावोऽभिधीयते ॥ ३-६१॥ રત્નાકરાવતારિકા રૂપજ્ઞાન થતું હોવાથી. ટીકાનુવાદ :- જે પદાર્થની (કપાલ અર્થાત્ ઠીકરાંની) ઉત્પત્તિ થયે છતે પૂર્વે ઉત્પન્ન થયેલા ઘટાત્મકકાર્યનો અવશ્ય અર્થાત્ નક્કી વિનાશ જ થાય છે. તેથી તે કપાલાત્મક પદાર્થ આ ઘટાત્મક કાર્યનો પ્રધ્વંસાભાવ કહેવાય છે. અહીં પણ મૂલસૂત્રમાં જે વયં શબ્દ લખ્યો છે તેથી કાર્યનો અવશ્ય વિનાશ થતો હોય તો જ આ પ્રધ્વંસાભાવ કહેવાય છે અન્યથા જો એમ ન હોય અને પ્રધ્વંસાભાવ માનીએ તો અતિવ્યાપ્તિ દોષ આવે છે તે આ પ્રમાણે - For Private & Personal Use Only અંધકાર ન હોય ત્યારે પ્રકાશકાલમાં સામાન્ય માનવીને રૂપજ્ઞાન થતું હોય છે. પરંતુ અંધકારની ઉત્પત્તિ થયે છતે તે રૂપજ્ઞાનાત્મક કાર્યનો નાશ થતો જોવાય છે તેથી અંધકાર એ રૂપજ્ઞાનનો પ્રધ્વંસાભાવ બની જશે, પરંતુ તે પ્રધ્વંસાભાવ નથી તેથી આ અતિવ્યાપ્તિ દોષ ન આવે એટલા માટે જ અવશ્ય શબ્દ કહ્યો છે, હવે આ અતિવ્યાપ્તિ આવતી નથી કારણ કે સામાન્ય માનવીમાં અંધકાર ઉત્પન્ન થયે છતે રૂપજ્ઞાનનો ભલે વિનાશ થતો હોય પરંતુ અતીન્દ્રિયજ્ઞાની અને નકતંચર જીવોમાં અંધકાર ઉત્પન્ન થવા છતાં પણ રૂપજ્ઞાનનો નાશ થતો નથી. માટે અવશ્ય વિનાશ નથી, તેથી અંધકાર એ રૂપજ્ઞાનનો પ્રધ્વંસાભાવ કહેવાતો નથી. આ અતિવ્યાપ્તિ વારવા માટે જ ટીકામાં ‘નિયમેન' એવો www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy