SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન જ જાય. આ અવસ્થાવાળા જીવને અતવ ઉપર રુચિભાવ ન હોય તેમ તત્વ ઉપર અરુચિભાવ પણ ન હોય, બેયની મિત્રતા હોય, આ સ્થિતિમાં જીવ ચેથા ગુણસ્થાને ટકી શકતા નથી. તે વખતે તે ૩ જા મિશ્રગુણસ્થાને ગણાય છે. એ અન્તર્મુ. પછી જે ૧ લે શુદ્ધ પુંજ ઉદયમાં આવી જાય તે ક્ષપશમ સમ્યકત્વભાવ પ્રાપ્ત કરીને ૪ થા ગુણસ્થાને ચડી જાય અને જે અશુદ્ધ પુંજને ઉદય થઈ જાય તે તે જીવ ૧ લા ગુણસ્થાને ધકેલાઈ જાય. આપણે ઉપશમભાવના સમ્યક્ત્વ પછી શુદ્ધપૂંજ ઉદયમાં આવે તે શું થાય તે જોયું. હવે અશુદ્ધપૂંજ ઉદયમાં આવે તે શું થાય તે પણ જોઈ લઈએ. જે જીવને અંતરકરણની છેલ્લી આવલિકામાં (ઉ૫. સ. ત્વને અન્તર્યું. કાળ પૂરો થતાં જ) સીધે અશુદ્ધપૂંજ ઉદયમાં આવી જાય તે તે એકદમ ઉદયમાં આવી જતું નથી કેમ કે તેના ઉદયમાં આવતાં વધુમાં વધુ છ આવલિકા જેટલો સમય લાગી જાય છે. જ્યાં સુધી આ છ આવલિકાને સમય પૂરો થાય નહિ ત્યાં સુધી જીવ અશુદ્ધ ચૂંજના ઉદયવાળ ૧ લા ગુણસ્થાને ધકેલાઈ ગયેલું ગણાય નહિ. આ ૬ આવલિકા પછી આવનારા મિથ્યાત્વના મિત્ર સમા ૪ અનંતાનુબંધી કષાયમાંના ગમે તે એક મિત્ર ઉદયમાં ધસી આવે છે. એમ થતાં શુદ્ધ ઉપ. સમ્યક્ત્વ ન રહે અને ક્ષપશમ કે મિશ્રભાવનું સમ્યફત્વ પણ ન રહે, એટલું જ નહિ પણ હજી અશુદ્ધ પૂંજને ઉદય થયો ન હોવાથી તે જીવ મિથ્યાત્વી પણ ન કહેવાય તે શું કહેવાય ? એ પ્રશ્ન સહેજે થાય. તેનું સમાધાન એ છે કે આ સ્થિતિમાં અનંતાનુબંધી કષાય ઉદયમાં આવી ગયેલ છે એટલે એ સ્થિતિ ડહેળાએલી તે બની જ -ગઈ છે અને વધુમાં વધુ ૬ આવલિકામાં અશુદ્ધ પૂજ ઉદયમાં આવતાં જ જીવ ૧ લા ગુણસ્થાને ધકેલાઈ પણ જવાના છે. આ જઘન્ય ૧ સમય ઉત્કૃષ્ટથી ૬ આવલિકાના ડહેળાએલા ભાવને સાસ્વાદન ભાવ કહેવાય છે. આ ભાવને જીવ બીજા ગુણસ્થાને રહેલ ગણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy