SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ચૌદ ગુણસ્થાન કે મિથ્યાદષ્ટિ કહ્યા છે. ત્યાં (૧૧-૩૭, ૧૧-૩૮) કહ્યું છે કે જેઓ ઉત્તમ ગુરુકુલવાસથી પરાગમુખ છે તે સાધુઓ દુષ્ટ સ્વભાવવાળા અને કૃતજ્ઞ હોઈને ગુરુકુલવાસના લાભને અને એકાકી વિહારના કાળમાં નુકસાનેને યથાર્થ સ્વરૂપમાં સમજતા જ નથી. કહેવાને આશય એ છે કે ગુરુકુલવાસમાં રહેવાથી સંભવતા આહાદિના કેટલાક દેષ કે પરસ્પર જન્મતા કલેશાદિને વધુ મહત્ત્વ આપી દઈને એવા ગુરુકુલવાસથી પ્રાપ્ત થતા અનેકાએક લાને ગૌણસ્વરૂપ આપીને ગુરુકુલવાસ ત્યાગીને, આહારાદિ દેથી મુક્ત જીવનને જ મહત્વ આપીને, તેવું દષમુક્ત જીવનને જીવવામાં જ મુક્તિની સાધના લઈને, સ્વછંદાચારી સાધુઓ જીવલેણ ભૂલ કરી બેસે છે. પિતાના જીવનને ભારે ખતરામાં મૂકી દે છે. કેમ કે આવી માન્યતા અને તેવી. માન્યતા દર્શાવતું વચન સર્વથા શાસ્ત્રબાધિત છે. આવા ગુરુકુલવાસથી વિમુખ સાધુ શુદ્ધ-ગૌચરી કરે, આતાપના. લે, માસક્ષમણની આકરી તપશ્ચર્યાઓ કરે, તે પણ આગમને અનુસરતું અનુષ્ઠાન ન હોવાથી અને એકાકી રહીને આ લેકે શાસનની અપભાજના કરાવનાર છે. વળી આવા સાધુ પિતાને ઉત્કર્ષ માનીને મહાન ગુરુઓની હીલના કરવા પણ પ્રેરાઈ જાય અને તેથી ઘેર કર્મબંધ કરે તે પણ સ્વભાવિક સુખના ઉપાયે બતાવીને, આધ્યાત્મિક જીવન જીવતા નિરપેક્ષ શ્રમણના જીવનને નિષ્ક્રિય” – “વાર્થી ગણ. વવાની તક ભેળા ભક્તો પાસે જતી ન કરે તેવી કરતાવાળા આ દાંભિક સાધુઓ હોય છે. આમના માટે નિઃશંક કહી શકાય કે. એમને ભવચક્રમાં કદાપિ સ્થિભેદ થયે હોય તે આત્મા સમ્યકત્વભાવથી પડીને તે મિથ્યાત્વી થાય તે મિથ્યાત્વ અવસ્થામાંય આવું પાપ, ન કરે. પ્ર. ગુરુકુલવાસને જ ત્યાગ કરીને બાકીની બધી દુષ્કર ક્રિયા કરનારાને તમે અધમાધમ કક્ષાના ભલે કહે પણ અમારે એક પ્રશ્ન. છે કે અધમાધમ કક્ષાના જ દુષ્કર ક્રિયાઓ કરે ખરા? ઉ. આવી ક્રિયાઓ અજ્ઞાનથી (મેહથી જ થાય છે. ગુરુકુલવાસના એકડા વિના લાખ મીંડારૂપ, આ ક્રિયાઓની લેશ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001256
Book TitleChaud Gunsthan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati, Principle, B000, & B030
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy