________________
બીજી આવૃત્તિ વિષે થોડું એક
પ્રથમ આવૃત્તિનાં પુસ્તકો બહાર પડે કે તુરત જ ૩૭00 ગ્રાહક થઈ ચૂકેલાં અને ઉપરા ઉપરી માંગ ચાલુ રહેવાથી બીજી આવૃત્તિની શીધ્રાતિશીઘ આવશ્યકતા ઊભી થઇ છે તે પૂરી પાડવા માટે આ બીજી આવૃત્તિ બહાર પડે છે.
આ આવૃત્તિથી સંસ્થાનું સંચાલન વ્યવસ્થિત કરવામાં આવ્યું છે. તેની સવિસ્તર યોજના આ પુસ્તક સાથે જ આપેલી છે. પ્રેમી સજ્જનો તેનો યથેચ્છ લાભ લઈ શકશે.
હવેથી આ સંસ્થાના કાયમ આર્થિક સહાયદાતા તરીકે શ્રી ડુંગરશી ગુલાબચંદ સંઘવી નિયત થયા છે અને આ વર્ષના મંત્રી તરીકે શ્રી લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવીને ચૂંટવામાં આવ્યા છે. શ્રી બુધાભાઇ, શ્રી જુઠાભાઇ, શ્રી મણિભાઈ અને ઇતર સજ્જનો પણ સંસ્થાના સભ્યો રૂપે રહી કાર્ય કરવાના છે. જાન્યુઆરી, ૧૯૩પ
સંતબાલ
ત્રીજી આવૃત્તિ પ્રસંગે
પ્રથમ પ્રથમ જ્યારે “ઉત્તરાધ્યયન સૂત્ર બહાર પડ્યું, ત્યારે કલ્પના એવી હતી કે શકય તેટલાં ઘણાં જૈન આગમો બહાર પડશે. આ માટે સૌથી પ્રથમ ફુરણા બુધાભાઈ (હાલના મુનિરાજ દયાનંદજી)ને થઈ હતી. ત્યારબાદ તેની “મહાવીર કાર્યાલયની એક કાયમી યોજના પણ ચાલુ થઇ હતી. જે બીજી આવૃત્તિની પછવાડે અપાઇ છે. પરંતુ મુનિશ્રી સૌભાગ્યમુનિજી (હાલ “સંતબાલ” તરીકે પ્રખ્યાત છે, તેઓ) નો સમૌન એકાંતવાસ આવી પડયો, ત્યારબાદ તેમના નિવેદન પછી સંપ્રદાયોમાં ઉહાપોહ મચ્યો. ધીમે ધીમે
ઉત્તરાધ્યયન H ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org