________________
પ્રથમ આવૃત્તિનું નિવેદન
આ ઊગતું મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર થોડા જ વખતમાં આટલું પ્રગતિમાન થશે એવી પહેલાં કલ્પના પણ ન હતી. આજે દિનપ્રતિદિન સંખ્યાબંધ જિજ્ઞાસુઓના ઉત્સાહ પ્રેરિત પત્રો અને પુસ્તકોની પુષ્કળ માંગ સતત ચાલુ રહેવા ઉપરાંત સંસ્થાને સાથ પણ બહોળા પ્રમાણમાં મળ્યો છે.
ભગવાન મહાવીરના સાહિત્યની જનતાને ખૂબ જ ભૂખ હોય,પ્રથમ આવૃત્તિની ૩૨૦૦ નકલ કઢાવેલી પરંતુ તે પુસ્તક બહાર પડે તે પહેલાં જ ગ્રાહકની સંખ્યા છપાયેલાં પુસ્તકો કરતાં વધી જવાથી બીજી આવૃત્તિનાં ૩૩૦૦ પુસ્તકો તુરત જ છપાવવાની જરૂર પડી છે. આ આવૃત્તિ વખતે કાર્યાલયની યોજના નિશ્ચિત કરવામાં આવી છે આથી સ્થાયી ગ્રાહકો થનારને અને સંસ્થાને ઉભયને લાભ થવાનો સંભવ છે.
આ કાર્યાલયની યોજનામાં બે ઉત્સાહી જિજ્ઞાસુઓની વૃદ્ધિ થઇ છે અને આર્થિક જવાબદારી સ્વતંત્ર રીતે તેઓએ ઉપાડી લીધી છે.
સૌ સભ્યોની અનુમતિ અને શ્રી બુધાભાઈ શાહ તથા શ્રી જૂઠાભાઇ શાહના અતિ આગ્રહથી આ વર્ષની મંત્રીપદની જવાબદારી શ્રી લક્ષ્મીચંદભાઇએ કબૂલ રાખી છે.
વિદ્વાન મુનિ મહારાજશ્રીની ભાવનામય અનુગ્રહ બુદ્ધિ તથા તેમના ગુરુશ્રીની ઉદારતા આ સંસ્થાની ઉત્પાદકતા અને જીવનશક્તિ
છે.
શ્રી બુધાભાઈ અને શ્રી જૂઠાભાઇની મૂકસેવા આ સંસ્થાની પ્રેરણા છે. અને અન્ય કાર્યવાહકોની કાર્યદક્ષતા આ સંસ્થાની ચાલક શક્તિ છે.
સહાયક, પોષક અને ગ્રાહકોની અમીદ્રષ્ટિનું સિંચન સદા મળતું રહે એ જ અભ્યર્થના સાથે વિરમું છું. સંવત ૧૯૯૧ કાર્તિક સુદ ૧ નવેમ્બર ૧૯૩૪
Jain Education International
For Private & Personal Use Only
વ્યવસ્થાપક
www.jainelibrary.org