SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ વેશ્યા ૨૩૭ પ્રકારે વેશ્યા એ પણ જીવાત્માને કર્મ સંસર્ગથી ઉત્પન્ન થતો વિકાર વિશેષ છે. તે પિતે કમરૂપ હોવાથી તેને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પરિણમન, સ્થિતિ ઇત્યાદિ બધું હોઈ શકે છે. પરંતુ તે એટલું બધું સૂક્ષ્મ છે. કે તેનું આપણે સ્થળ ચક્ષુ દ્વારા નિરીક્ષણ કે પશન પ્રત્યક્ષ કરી શકીએ નહિ. તેને યથાર્થ સમજવા માટે દિવ્ય જ્ઞાનની અને દિવ્યદર્શનની અપેક્ષા છે. છતાં કાર્ય વિશેષથી તે વસ્તુનું અનુમાન જરૂર કાઢી શકાય. દાધી: મનુષ્યના ચહેરા પર દેખાતી ભયંકરતા, તેની સાહસિક્તા, ગાત્રનું કંપન તથા ઉણુતા વગેરે બધાં એકાંત ઝેરનાં સૂચક છે. વૈજ્ઞાનિક શધથી અત્યંત ક્રોધ વખતનું શેણિતબિંદુ ઝેરમય હોય છે, અને તે દ્વારા મનુષ્યનાં મરણ થયાના પણ અનેક દષ્ટાંતે પ્રત્યક્ષ દેખાયાં છે... એટલે તે વસ્તુને વિશેષ સમજાવવાની આવશ્યકતા રહેતી નથી. વેશ્યાઓ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. તેમાં પહેલી ત્રણ અપ્રશસ્ત અને છેલ્લી ત્રણ પ્રશસ્ત છે. તે અપ્રશસ્તને ત્યાગી પ્રશસ્તની આરાધના. કરવી એ મુમુક્ષુજનને બહુ બહુ આવશ્યક છે. ભગવાન બોલ્યા : (૧) હવે અનકમથી લેશ્યા અધ્યયનને કહીશ. એ છએ કમ લેશ્યાના અનુ ભાવાને કહેતા એવા મને સાંભળો : નેધ : કમ લેગ્યા એટલા માટે કહી છે કે તે કમની સ્થિતિ ઉત્પન્ન કરે છે. અનુભાવ એટલે તીવ્ર કે મંદ રૂપે રસનું સંવેદન. (૨) (લેશ્યાના અગિયાર બેલે કહે છે) લેયાઓના ૧. નામ ૨. વર્ણ, ૩. રસ, ૪. ગંધ, ૫. સ્પર્શ, ૬. પરિણુમ, ૭. લક્ષણ, ૮. સ્થાન, ૯, સ્થિતિ, ૧૦. ગતિ અને ૧૧. અવન. (જ્યારે અંતમુહૂર્ત આયુષ્ય બાકી રહે ત્યારે આગામી ભવની જે લેયા ઉત્પન્ન થાય તે) વગેરેને સાંભળે. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy