SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ઉત્તરાધ્યયન સત્ર - (૩) પાપકર્મમાં પ્રવૃત્તિ કરાવનાર એવા બે પાપ રાગ અને દ્વેષ છે. જે ભિક્ષ તે આ બંનેને રોકે છે, તે આ સંસારમાં પરિભ્રમણ કરતો નથી. (૪) ત્રણ દંડ, ત્રણ ગર્વ અને ત્રણ શોને જે ભિક્ષુ તજે છે તે સંસારમાં નિત્ય પરિભ્રમણ કરતો નથી. સેંધ : (૧) મનદંડ (૨) વચન દંડ અને (૩) કાયદંડ. (૧) ઋદ્ધિગર્વ, (૨) રસગવ અને (૩) શાતાગ. (૧) માયાશલ્ય (૨) નિદાનશલ્ય અને (૩) મિથ્યાત્વ દર્શન શલ્ય. (૫) જે ભિક્ષ દેવ, મનુષ્ય અને પશુઓના આકસ્મિક ઉપસર્ગ (સંકટો)ને સમ ભાવથી સહન કરે છે તે સંસારમાં ભમતો નથી. (૬) ચાર વિકથા, ચાર કષાય, ચાર સંજ્ઞા અને બે પ્રકારના ધ્યાનોને હંમેશને માટે જે ભિક્ષ છોડી દે છે તે સંસારમાં ભમતું નથી. નેધ : આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાન. (૭) પાંચ મહાવ્રતો, પાંચ ઈદ્રિના વિષયોને ત્યાગ, પાંચ સમિતિ અને પાંચ પાપ ક્રિયાઓને ત્યાગ. તે ચારે વસ્તુઓમાં હંમેશાં, ઉપગ રાખે છે તે સંસારમાં ભમતું નથી. નેધ : ઉપયોગ શબ્દ આચરવામાં, ગ્રહણ કરવામાં અને તજવામાં એમ ત્રણે સ્થળે લાગુ પડે. (૮) છ લેશ્યાઓ, છકાયો અને આહારના છ કારણમાં જે ભિક્ષુ હંમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી. (૯) સાત પિંડ ગ્રહણની પ્રતિમાઓ અને સાત પ્રકારના ભયસ્થાનોમાં જે ભિક્ષુ હમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી. (૧૦) આઠ પ્રકારના મદો, નવ પ્રકારનું બ્રહ્મચર્ય રક્ષણ અને દસ પ્રકારના ભિક્ષુ ધર્મમાં જે ભિક્ષ હમેશાં ઉપગ રાખે છે તે સંસારમાં પરિભ્રમણ કરતો નથી. (૧૧) અગિયાર પ્રકારની શ્રાવક પ્રતિમાઓમાં અને બાર પ્રકારની ભિક્ષુ પ્રતિમા એમાં જે ભિક્ષુ હમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી. નેધ : પ્રતિમાઓ એટલે ચોક્કસ વ્રત નિયમવાળી ક્રિયા. (૧૨) તેર પ્રકારનાં ક્રિયા સ્થાનમાં, ચૌદ પ્રકારના પ્રાણસમૂહોમાં અને પંદર પ્રકારના પરમધામિક દેવમાં જે ભિક્ષુ હમેશાં ઉપયોગ રાખે છે તે સંસારમાં - ભમતો નથી. (૧૩) જે ભિક્ષુ (સૂયગડાંગ સૂત્રના પ્રથમ સ્કંધનાં) સેળ અધ્યયનેમાં તથા સત્તર પ્રકારના અસંયમોમાં સતત ઉપયોગ રાખે છે તે સંસારમાં ભમતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001220
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorSaubhagyachandra
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1991
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_uttaradhyayan
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy