SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય નિદ્ભવ અવ્યકતવાદી : : ૬૧ : માએ કહેલ વર્ષ ના તે જ પ્ર સ્થ–જે તમે પરમાત્માએ કહેલ શ્રુતજ્ઞાનને પ્રમાણ માનો છે તે તે જ પ્રભુએ હજુ આ ભરતક્ષેત્રમાં ૨૧ હજાર વર્ષ સુધી સંયમ ધર્મ રહેનાર છે, તેના પાલન કરનાર મુનિએની પીછાન માટે તેના લિંગો પણું બતાવેલ છે. જેમકે જેઓ સર્વથા જીવહિંસા ન કરતા હોય, જૂઠ ન બોલતા હોય, ચેરી ન કરતા હોય, બ્રહ્મચર્ય પાલન કરતા હોય, પરિગ્રહી ન હોય, રાત્રિભેજનને જેમને ત્યાગ હેય, આવશ્યક નિય માં ને શુદ્ધ આચાર-વિચારને પાલનમાં જેઓ તત્પર હોય તેઓ મુનિ કહેવાય છે. એ પ્રમાણેના લિંગે જ્યાં જણાતાં હોય ત્યાં મુનિ પણું જાણવું અને તેમને વન્દનાદિ સર્વ વ્યવહાર કરવા, તેમાં કંઈપણ દેષ નથી. જે માટે આગમમાં કહ્યું છે કે जह जिणमयं पमाण, मुणित्ति ता बज्झकरणसंसुद्धं । देवपि वंदमाणो, विसुद्धभावो विसुद्धो उ ।। (જો જિનમત પ્રમાણ છે, તો બાહ્ય ક્રિયાઓથી વિશુદ્ધ એવા મુનિને તે દેવ હોય તે પણ વિશુદ્ધભાવે વન્દન કરનાર વિશુદ્ધ જ છે-દૂષિત નથી, માટે તમે અવ્યક્તવાદને ત્યાગ કરો. સ્થ૦–અમને આપના વચન માન્ય છે. અમે સર્વ મુનિઓને બાહ્ય લિંગથી મુનિ માની અનુસરીએ છીએ, પણ આ આચાર્યને પ્રસંગ બન્યા પછી અમને સર્વ સ્થળે શંકા રહ્યા કરે છે. અમારા ચિત્ત એટલાં તે વિહળ થયા છે કે અને કોઈ જાતને નિર્ણય કરી શકતા નથી. શંકિતહૃદયે વન્દનાદિ કિયાએ કરવી તે કરતાં ન કરવી સારી, માટે અમે અનુસરતા નથી. સ્થ–જે એવી શંકા માત્રથી તમે પ્રવૃત્તિઓને ત્યાગ કરતા હો તે તમારા હૃદયથી તમને સર્વ પદાર્થમાં શંકા છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy