SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૮ : નિહ્નવવાદ : * આજથી ૨૧ વર્ષ પૂર્વે જ્યારે પ્રભુશ્રી મહાવીરસ્વામીજી વસુધાતલ પાવન કરતા કરતાં અહીં આવી સમવસરતા હતા. ત્યારે જે પ્રમાણે જનતા ધર્મમય થઈ જતી હતી. તે જ, પ્રમાણે અત્યારે પણ પ્રભુજીને વેગ નથી છતા એમ નથી જણાતું કે “પ્રભુજીને વિયેાગ છે. આચાર્યશ્રીના ઉપદેશ, સમજાવવાની શૈલી, શંકા-સમાધાન કરવાની પદ્ધતિ, તેમજ સ્નેહમય મૃદુ રીતભાતથી તે નગરીની સર્વ પ્રજા તેઓ પ્રત્યે પૂજ્યભાવથી જતી હતી. આચાર્યશ્રી સપૂર્ણ દિવસ કાર્યમાં જ ગુંથાયેલ રહેતા. લોકોને ઉપદેશ આપી ધર્મમાં જોડવા ઉપરાંત કેટલાક મુનિઓએ, કિયારુચિ અને ભક્તિવાળા શ્રાવકોને વેગ મળે તેવાથી, અને ગીતાર્થ આચાર્ય મહારાજ સાથે રહેવાનો પ્રસંગ પ્રાપ્ત થયા હોવાથી મોટા મેટા આગાઢ ગ શરુ કર્યા હતા, તેથી તેમને ક્રિયા કરાવવી વગેરે પ્રવૃત્તિ સતત રહેતી. રાત્રીના બીજા પ્રહરે વેરતિય કાળની ક્રિયા કરાવવી, ચેાથે પ્રહરે પ્રભાતિક કાળની ક્રિયા કરાવવી, પ્રતિક્રમણ-પ્રતિલેખનાદિ આવશ્યક કરવા, સૂર્યોદય બાદ ઘડીભર દિવસ ચડે એટલે સજઝાય-પાટલીઉદેશ-સમુદેશ-અનુજ્ઞા આદિનાં અનુષ્ઠાન કરાવવાં, ત્યારબાદ વ્યાખ્યાન-ઉપદેશ આપી જનતાને પ્રતિબોધિત કરવી, પછી ગોઢાહિ મુનિઓના આહારપાણીની દેખરેખ રાખવી, - યામ-એટલે જૈન-આગમ ભણવા માટે કરવામાં આવતે ક્રિયાવિધિ. તે યોગ બે પ્રકારના છે; એક કલિક ને બીજા ઉકાલિક. કાલિક એટલે કાળગ્રહણવાળા, અને ઉકાલક-એટલે કાળગ્રહ રહિત. તેમાં કાલિક યોગના બે પ્રકાર છેઃ આગાઢ અને અનાગાઢ. આગાઢ એટલે ગમે તેવા કારણ યાગમાંથી છૂટા ન થવાય ને પૂર્ણ કરવા જ પડે. અને અનાગાઢ અટલ વિશિષ્ટ કારણે જોગમાંથી છૂટા થવાય ને કારણે નિવૃત ધ ફરીથી આગળ પૂર્ણ કરાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy