SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ નિનવ જમાલિ: ': ૨૫ : તેના અર્થો હાથમાં ઉતાર્યા હતા. જાદવજી પ્રિયદર્શના વગેરેએ તેમના આશ્રયમાં–સ્થાનમાં સ્થિરતા કરી હતી. જમાલિ પારોથી આવ્યા પછી ઢક શ્રાવકને પણ સાધ્વીજીએ સર્વ વિચારે જણાવ્યા. ઢક શ્રાવક તે અચલ શ્રદ્ધાવાળા હતા અને સમજતા પણ હતા કે સાધ્વીજી પતિના પ્રેમને વશ વગરવિચારે મિથ્યા મતમાં ફસાયા છે; માટે જે અત્યારે હું કંઈ પણ સમજાવીશ તે તેનું ફળ કંઈ નહિ આવે. પૂર્વયુગ્રાહિત મતિ-પ્રથમથી એક દુરાગ્રહમાં નિશ્ચિત બુદ્ધિવાળા હોવાથી સમજી શકશે નહિં, એટલે કે શ્રાવકે ટૂંકમાં પતાવ્યું ને કહ્યું કે “ આવી ઊંડી બાબતમાં અમે કાંઈ સમજીએ નહિ, એ તો આપ જાણે.” પણ મનમાં વિચાર્યું કે-કેઈક અવસરે સાધ્વીજીને યુક્તિથી સમજાવીશ. એક વખત સાધ્વીજી સ્વાધ્યાયમાં તલ્લીન હતાં. નજીકમાં જ ટૂંક કુંભકારને નિભાડો હતો. તેમાં તે વાસણે તપાસતા હતા. અવસર જેઈને નિભાડામાંથી એક અંગારો લઈને ટંક શ્રાવકે સાઠવીજીના વસ્ત્ર ઉપર નાખ્યો. સાદવજીનું ધ્યાન ન હતું ને વસ્ત્ર સળગવા લાગ્યું. સાધવી જ એકદમ ઊભા થઈ ગયાં અને ઢક શ્રાવકને ઠપકો આપવા લાગ્યા કે- શ્રાવકજી, ઉપયોગ પણ નથી રાખતા, તમારા અનુપયોગથી આ અમારું વસ્ત્ર સળગી ગયું–બળી ગયું.” ઢક શ્રાવકે વસ્ત્રને તરત બૂઝવી નાખ્યું ને સાધ્વીજીના વચનને પકડી કહેવા લાગ્યા. કે “ભગવતિ ! આપ મિથ્યા વચન કેમ વદે છે? આપે પૂર્વે મને જે કહ્યું હતું તે પ્રમાણે “ આ અમારું વસ્ત્ર બળી ગયું” એમ બેલાય જ નહિ. આપની માન્યતા પ્રમાણે તે બળતું એ બન્યું ન કહેવાય પણ સંપૂર્ણ બળી રહે પછી જ બન્યું એમ કહેવાય. જો તમે ત્રાજુસૂત્ર નયને માન્ય કરતા હોનિશ્ચય નયને સ્વીકારતા હો? તે જ તમે એ પ્રમાણે કહી શકો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy