SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ આમવાર : જીવાત્માના અદષ્ટ કે ભાગ્ય વગર બનતું નથી. જે કાર્ય જે જીવાત્મા માટે બને છે તે કાર્યમાં તે જીવાત્માનું ભાગ્ય કારણ છે. ભાગ્ય અથવા અદષ્ટ એ આત્માને ગુણ છે. ગુણ ગુણ સિવાય રહી શકતું નથી. એટલે શરીર બહાર જે આત્માને માટે જે કાંઈ કાર્ય થાય છે તે સ્થાને તે આત્માનું અદષ્ટ પણ રહેલ છે, એથી તે સ્થળે તે આત્મા પણ રહેલ છે એમ માનવું જોઈએ; માટે સર્વે આત્માઓ વ્યાપક છે. ૩. સુખદુઃખનું મૂળ જ્ઞાન છે. જ્ઞાન શરીરધારીઓને જ થાય છે. એટલે સુખદુઃખ પણ શરીરધારીને જ થાય છે. આત્મા જ્યારે બન્ધનોથી મુક્ત થાય છે ત્યારે દેહ ત્યાગ કરે છે. વિષયે સાથે તેને કઈ પણ જાતને સમ્બન્ધ રહેતું નથી એટલે તેનામાં સુખ, દુઃખ, જ્ઞાન, દ્વેષ, ઈછા, પ્રયત્ન, પુણ્ય, પા૫, સંસ્કાર એ ગુણે રહેતા નથી અર્થાત્ મુક્તાત્મા સંસાર સંગ રહિત, નિષ્ક્રિય ને વિશેષ ગુણ વિનાને હેય છે. સ્યા–પરમાત્મા જગતથી અલિપ્ત છે ને જીવાત્મા શરીરવયાપી અને સર્વદા સગુણ છે. ૧. જગતને સર્જક અને સર્વતંત્રને ચલાવનાર જે પરમાત્મા તમે માને છે તે દેહયુક્ત છે કે દેહમુક્ત? રાગી છે કે વીતરાગ ? કૃપાળું છે કે ક્રૂર? સ્વતંત્ર છે કે પરતત્ર ? સર્વજ્ઞ છે કે અલપઝ? કહેશે કે–દેહવાળે, સાગ, કુર, પરતત્ર ને અલપઝ છે, તે તેમાં જીવાત્મા કરતાં કંઈ પણ વિશેષતા ન રહી; માટે તે પરમાત્માપદને જ અગ્ય છે. એવા જે પરમાત્મા મનાતા હોય તો કણ પરમાત્મા નથી ? અને જે કહેશે કે તે દેહમુક્ત, વીતરાગ, કૃપાળુ, સ્વતંત્ર ને સર્વજ્ઞ છે, તે તેને આવું અપૂર્ણ અને અનેક દેથી પૂર્ણ જગત બનાવવાનું શું પ્રયોજન છે? પ્રોજન વગર મન્દ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy