SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મવાદ : : ૨૮૩ : સ્વમસૃષ્ટિ ખડી થાય છે. કઈ કઈ વખત દેવતાઓ દિવ્યાનુભાવથી સ્વમમાં નહિ અનુભવેલ પદાર્થો દેખાડે છે. એટલે સ્વમમાં દેખાતી વસ્તુઓ તદ્દન અવાસ્તવિક હોતી જ નથી; જેમ આંખ મીંચીને વિચાર કરવાથી દઢ સંસ્કાર પડેલ પદાર્થો સામે આવીને ખડા થાય છે તે જ પ્રમાણે વિશ્વમાં વિદ્યમાન પદાથે જ સ્વમમાં ખડા થાય છે. ભાષ્યકારે પણ સ્વમનાં નિમિત્તે જણાવતા ખાસ કરીને અભાવની કારણતાને નિષેધી છે. अणुहयदिट्ठचिन्तिय-सुयपयइवियारदेवयाणुहवा । सुमिणस्स निमित्ताई, पुण्णं पावं च नाभावो । માટે સ્વમ જે પ્રમાણે તદ્દન નિર્વિષય નથી તે જ પ્રમાણે વિજ્ઞાન પણ તદ્દન વિષય વગરનું સંભવતું નથી. - બાર–આ દેખાય છે તે સર્વ શ્રમ છે તમે કહો છો તે ઠીક છે, પરંતુ સ્વમમાં જેમ કાલ્પનિક સૃષ્ટિ ખડી થાય છે તે જ પ્રમાણે આ બાહ્ય દેખાતા ઘટ, પટ વગેરે પદાર્થો કલપનાથી જ થયેલ છે. પ્રખર તાપથી તપેલાને રેતીના રણમાં મૃગજળ-ઝાંઝવાના જળની ભ્રાનિત થાય છે તેમ આ સવ બ્રાન્તિ જ છે. વાસ્તવિક કોઈ હોય તે તે એક વિજ્ઞાન જ છે. સ્યા–ભ્રમ છે તે સત્ય પદાર્થ છે જ ભ્રમ કે બ્રાન્તિનું સ્વરૂપ જ સત્ય પદાર્થને સમજાવે છે. બ્રાન્તિ એટલે જે વસ્તુ જ્યાં ન હોય ત્યાં તે વસ્તુનું ભાન થવું. જેમ છીપ એ રૂપું નથી છતાં તેને રૂપા તરીકે સમજવી તે બ્રાતિ છે. પણ જેને રૂપાનું વાસ્તવિક જ્ઞાન નથી તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy