SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ત્રીજું મતખંડન (૧) સ્યાદ્વાદીની સભામાં આત્માનું સ્વરૂપ સુન્દર ચર્ચાતું તેમાં અનેક જિજ્ઞાસુઓ આવતા ને રસ લેતા હતા. આત્મા છે, એ નક્કી થયું એટલે તે કેવું છે? તેની ચર્ચા શરુ થઈ. તેમાં પ્રથમ બૌદ્ધ પ્રશ્ન કર્યો. બૈદ્ધ–આત્મા વિજ્ઞાનસ્વરૂપ છે. આત્મા છે એ નક્કી છે પણ તે વિજ્ઞાનસ્વરૂપ છે. અમે અનેક રીતે તેને તે સ્વરૂપે સિદ્ધ કરેલ છે. તમે તે રીતે માનતા હો તે ચર્ચાને કંઈ સ્થાન નથી ને તેમ ન હોય તેનું શું સ્વરૂપ છે તે દર્શાવે. ચાવ–આત્મા કેવળ વિજ્ઞાનસ્વરૂપ જ નથી. આત્માનું વિજ્ઞાનસ્વરૂપ છે એ માન્યતા સત્ય છે, પણ આત્મા વિજ્ઞાનસ્વરૂપ જ છે તે મિથ્યા છે. વિજ્ઞાન સિવાયના આત્માના બીજા પણ અનેક સ્વરૂપ છે. –વિજ્ઞાન સિવાય અન્ય કાંઈ નથી માટે આત્મા વિજ્ઞાનરૂપ જ છે. વિશ્વમાં વસ્તુમાત્ર વિજ્ઞાનસ્વરૂપ જ છે. જગત્ વિજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy