SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૨ : નિવવાદ: વચનના અનુયાયીને તે ભૂષણ છે. પિષ્ટપેષણ કે ચવિતચર્વણની આપત્તિ એ પણ કરાતું એ કરાયું માનવામાં ઘટતી નથી. અસત એટલે અપ્રકટ અને સત એટલે પ્રકટ એમ સ્વીકારવામાં આવે તે તે યથાર્થ છે; માટે સત્કાર્યવાદ માનવો જોઈએ. (૨) વસ્ત્ર તાંતણાઓમાંથી ઉત્પન્ન થાય છે અને ઘટ માટીના પિંડમાંથી ઉત્પન્ન થાય છે એ પ્રમાણેની અમુક કારણોમાંથી અમુક જ કાર્ય થાય એ વ્યવસ્થા સત્કાર્ય માનવામાં આવે તો જ સંભવે છે. જે તતુઓમાં પટની સત્તા કે મૃતપિચ્છમાં ઘટની સત્તા ન હોય તે પટને અથી તતુને અને ધટને અર્થી માટીને કેમ ગ્રહણ છે? ત-તુમાંથી ઘટ ને માટીમાંથી પટ કેમ નથી બનતે? બન્ને બન્ને પ્રત્યે કારણ છે, જેમાં કાર્યનું નહિ રહેવાપણું છે છતાં ત-તુમાંથી ઘટ કે માટીમાંથી પટ બનતો નથી માટે સત્કાર્ય જ થાય છે. (૩) કાર્ય અને કારણને જે સબ-ધ થાય, તે જ કાર્ય ઉત્પન્ન થાય છે. કારણના સમ્બન્ધ સિવાય પણ કાર્ય ઉત્પન્ન થાય છે એમ માનવામાં આવે તો સદાકાળ સર્વ કાર્યો ઉત્પન્ન થતાં જ રહે. પણ એમ થતું નથી. અસત્કાર્યવાદીને મત કારણને સમ્બન્ધ સંભવ નથી. સમ્બન્ધ હંમેશા સતની સાથે જ થાય અસતની સાથે ન હેય. असत्त्वे नास्ति सम्बन्धः, कारणैः सत्त्वसङ्गिभिः ॥ असम्बद्धस्य चोत्पत्ति-मिच्छतो न व्यवस्थितिः॥१॥ [ સવના સગ્ગવાળા કારણે અસત્તની સાથે સલ્ટ કરતાં નથી, કારણના સમ્બન્ધ સિવાય પણ કાર્ય ઉત્પન્ન થાય છે, એમ માનવામાં આવે તે (કાર્ય કારણની ) વ્યવસ્થા ન રહે. ] કાર્ય કારણના સબધ સિવાય પણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે એમ કલ્પવામાં આવે કે-જે કારણમાં જે કાર્ય ઉત્પન્ન કરવાની શક્તિ છે તે જ કારણ તે કાર્યને ઉત્પન્ન કરે છે. તે શક્તિ જાણુવાને માટે કાર્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy