SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મવાદ: : ૨૬૩ : પ્રમાણે અનેક છે તેમાં આગમ-આપ્તવચન પણ એક પ્રમાણ છે. આગમમાં સ્થાને સ્થાને આત્માનું પ્રતિપાદન કરેલ છે. વો અગાઉનાળો નવરાફિઅરજુ' (અનાદિ અનન્ત અને જ્ઞાનાવરણ વગેરે કર્મોથી યુક્ત એ જીવ છે.) વગેરે આગમવચને આત્માને સમજાવે છે; માટે આત્મા છે. ચાવ–આગમ પ્રમાણ માનવાને પ્રમાણુ નથી. આગમથી આત્મા ત્યારે જ સિદ્ધ થાય કે જે તે પ્રમાણુ હેય. પણ. આગમને પ્રમાણ માનવાને કોઈ સબળ પ્રમાણ નથી. અમે તે માનીએ છીએ આગમ એ પ્રમાણુ જ નથી. સ્યા -આગમ પ્રમાણ વ્યવહારસિદ્ધ છે. જે આગમને પ્રમાણે ન માનવામાં આવે તે ચાલતા સર્વ વ્યવહારો જ અટકી પડે. દુન્યવી અને આધ્યાત્મિક સર્વ વ્યવહારો આગમાધીન ચાલે છે. નાના બાળકને તે તે વસ્તુનું જ્ઞાન વૃદ્ધ વચનથી થાય છે. શિષ્ટ વચનના પ્રામાય વગર ગોળ ને પહોળા પેટવાળા, ચપટા તળિયાવાળા ને સાંકડા કાંઠલાવાળા પદાર્થને ઘડે કહે. વગેરે સત્ય ભાન ને વ્યવહાર કઈ રીતે ચાલશે ? લોકોત્તર–આધ્યાત્મિક વ્યવહારને આધાર તો આગમ ઉપર જ છે. માનવાજૂ-માનમઃ | આ પ્રવચન અંગીકાર્ય છે; ; માટે આગમ એ પ્રમાણભૂત છે. ચાર–આસપુરુષ તમે કેને કહે છે ? કેવા પુરુષને તમે આમ કહે છે કે જેનું વચન પ્રમાણભૂત માની સર્વ વ્યવહાર ચલાવવા માટે જણાવે છે. અમુક એક પુરુષને આપ માનવો ને તેના વચન પર પૂર્ણ વિશ્વાસ મૂક એ અમારા મતે મિથ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy