SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૫૬ : નિવવાદ: જેવાને મેં તે લાકડાને ઝીણામાં ઝીણે ચૂરો કરાવ્યા ને તેમાં ખૂબ તપાસ કરી પણ અગ્નિ માન્યા નહિં. જ્યારે આંખથી દેખી શકાય તેવા સત્પદાર્થો પણ આ રીતે દેખાતા નથી તે નૃપ ! ચક્ષુથી ન જોઈ શકાય તે અરૂપી આત્મા તને ન દેખાય તેમાં શું? જેમ પરસ્પર ઘસવાથી અરણિમાં અગ્નિ ઉત્પન્ન થાય છે ને દેખાય છે તેમ આત્મા પણ જ્ઞાન-ધ્યાનક્રિયાકાંડ વગેરેના સતત મર્ષણ ચાલે એટલે દિવ્ય પ્રકાશમાં દિવ્ય ચક્ષુથી સાક્ષાત્ દેખાય છે. વજનમાં ફેર ન પડવાથી આત્મા નથી તે અસત્ય રાજન્ ! જીવતા શરીરનું ને મૃત શરીરનું સમાન વજન થવાથી આમાં નામને કોઈ પદાર્થ નથી એમ તે માની લીધું, પણ એક રબરની કોથળી ખાલી ને પવનથી ભરેલીનું વજન કરી જશે તો તે પણ સમાન થશે. એટલે શું ખાલી ને પવન ભરેલી કોથળી સરખી માની શકાશે? ભરેલીમાં પવન નથી એમ કહી શકાશે ?” * વજન એ શું છે? અને તે કોનામાં રહે છે ? એ સમજાચાથી તેને લાગશે કે આવી રીતે આત્મા નથી એમ માનવું અયુક્ત છે. ” “વજન (ગુરુત્વ) એ એક પુદ્ગલને ગુણ છે. તેને સમાવેશ સ્પર્શમાં થાય છે. સ્પર્શના આઠ પ્રકાર છે. શીત-ઊષ્ણ, સ્નિગ્ધ-રુક્ષ, મૃદુ-ખર, લઘુ-ગુરુ. આ આઠે સ્પર્શે પુગલમાં રહે છે. પુદ્ગલો પણ આઠ પ્રકારના છે. દારિક-વૈક્રિય ૧ મનુષ્યના અને તિર્યંચના શરીરમાં વપરાતા જે પુલો તે ઔદારિક. ૨. દેવ, નારક વગેરેના શરીરમાં ઉપયોગી પુગલો તે વૈક્રિય. ૩. ચૌદપૂર્વધર મુનિ આહારક લબ્ધિથી શ્રી કેવલી ભગવંતને પ્રશ્ન પૂછવા માટે જે શરીર કરે, તેમાં ઉપયોગી જે પુદ્ગલે તે આહારક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy