SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ નથવાદ : ': ૨૩૫ : જે શબ્દોનો આપણે જે અર્થમાં ઉપયોગ કરીએ છીએ તે અર્થને તે પદાર્થ તે સમયે યથાર્થ અનુભવતો હોય તે જ તેને માટે તે શબ્દ વાપરવો એવી જે નયની માન્યતા છે તેને એવંભૂત નય કહેવામાં આવે છે. જેમકે શિવ ત્યારે જ કહેવાય કે જ્યારે શુકલધ્યાનની ધારાએ ચઢી રાગાદિ શત્રુને જીતતા હય, જ્યારે સુરાસુર નરેન્દ્ર પૂજા કરતા હોય ત્યારે જ હૂં કહેવાય અને સમવસરણમાં વિરાજી ચતુર્વિધ શ્રમણ સંઘની અને પ્રથમ ગણધરની સ્થાપના કરતા હોય ત્યારે તીર કહેવાય. પરંતુ જ્યારે ઉપર્યુક્ત ક્રિયા ન ચાલતી હોય ત્યારે તે શબ્દ વપરાય નહિં. તીર્થની સ્થાપના કરતા હોય ત્યારે કોઈ કહે છે ઈન્દ્ર મહારાજા જિનને નામે-પૂજે છે તે તે વાક્ય એવંભૂત નય બરોબર ન કહે. આ નય તે કહે-અત્યારે તીર્થકરને ઈન્દ્ર નમે છે એમ કહો. એ પ્રમાણે એવંભૂત નયનું સ્વરૂપ છે. ઘટના દષ્ટાતથી શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયનું સ્પષ્ટીકરણ. શબ્દનય–જેમાં પાણી ભરી શકાય, ગેળ આકારવાળે, મોટા પેટવાળે, સાંકડા મુખવાળે જે પદાર્થ તે ઘટ કહેવાય છે. ઘટ-કલશ-કુંભ વગેરે તેના પર્યાય શબ્દ છે. સમભિરૂઢ નય–પાણી ભરાય તે-જલાધાર કહેવાય, શબ્દ કરે તે જ ઘટ કહેવાય, પૃથ્વીને પૂરે તે જ કુંભ કહેવાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy